January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં શ્રી યુવરાજ ધોડીનો વિજય થયો હોવાની ઘોષણા રાષ્‍ટ્રીય યુવા કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી બી.વી. શ્રીનિવાસને કરી હતી.
દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે શ્રી યુવરાજ ધોડીનો વિજય થતાં દાનહના યુવકોમાં આનંદ અને ઉમંગની લાગણી છવાઈ જવા પામી છે. દાદરા નગર હવેલી ખાતે હવે કોંગ્રેસ યુવાનોમાં લોકપ્રિય બનશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
શ્રી યુવરાજ ધોડીએ પોતાની કાર્યકારિણીમાં બે ઉપ પ્રમુખ પદે શ્રી મોહમ્‍મદ અરમાન સૈયદ અને શ્રી કમલેશ ખોલાતની વરણી કરી છે. મહામંત્રી પદે શ્રી અજય બી. પટેલ, શ્રી રણજીત એલ. લીમડા, શ્રી સચિન આર. શુક્‍લા અને શ્રી ઈરફાન ઈમ્‍તિયાઝ રહેમાનની પસંદગી કરવામાં આવી છે. જ્‍યારે સચિવના પદ ઉપર કુ. મયુરી એસ. પટેલ, નેહા આર. ચૌબે અને મુન્‍ના આઈ. સોંધાની નિયુક્‍તિ કરવામાં આવી છે.
હવે પ્રદેશ યુવાકારોબારીનું ગઠન જલ્‍દી કરવામાં આવશે, જેમાં પ્રદેશના યુવા અને ઉર્જાવાન તથા કોંગ્રેસની વિચારધારાવાળા લોકોને પસંદ કરાશે.
આ પ્રસંગે નવનિર્વાચિત દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી યુવરાજ ધોડીએ યુવા કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી બી.વી. શ્રીનિવાસન પ્રત્‍યે આભાર પ્રગટ કરતા જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રીએ તેમના ઉપર વિશ્વાસ પ્રગટ કરી આપવામાં આવેલી આ મોટી જવાબદારી તેઓ સાર્થક રીતે બજાવવા પોતાના તનતોડ પ્રયાસ કરશે. તેમણે યુવા કોંગ્રેસના રાષ્‍ટ્રીય મહામંત્રી અને દમણ-દીવ-દાનહના પ્રભારી શ્રી વિવેક થવાગલનો પણ આભાર પ્રગટ કર્યો હતો. દાનહમાં યુવા કોંગ્રેસના અધ્‍યક્ષનું પદ લાંબા સમયથી ખાલી હતું. દાનહ કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ શર્માના પ્રયાસોથી દાનહ યુવા કોંગ્રેસના અધ્‍યક્ષની ચૂંટણી સંભવ બની શકી હતી અને પ્રદેશના યુવાનોએ પ્રતિનિધિત્‍વ કર્યું હતું. હવે દાનહમાં કોંગ્રેસ પોતાનો મજબુતીથી જનાધાર વિસ્‍તારશે એવું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયે સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેંજમાં સેલવાસ સ્‍માર્ટસીટીને જુરી સ્‍પેશલ મેંશન સિટીના રૂપે આપી માન્‍યતા

vartmanpravah

G20 ની 12 ઈવેન્‍ટ ગુજરાતમાં થશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

કવાલ ખાતે કાપડી સમાજનો સ્‍નેહ મિલન સમારંભ યોજાયો: કુળદેવી હિંગળાજ માતાના મંદિરનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment