March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

ઘોંઘાટ બંધ કરાવવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆતની કોઈ અસર નહીં: ઘોંઘાટ ચાલુ જ રહ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: આજે સેલવાસના સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત ગ્રામીણ પ્રીમિયર લિગ(જીપીએલ) નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો શુભારંભ મુખ્‍ય અતિથિ તરીકે સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ ટુર્નામેન્‍ટમાં છ ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્‍ટના શુભારંભ પ્રસંગે રેકોર્ડિંગ સોંગ ડી.જે.ના તાલે ડાન્‍સ પ્રસ્‍તુતિ અને આતશબાજી કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, ટૂર્નામેન્‍ટ દરમ્‍યાન ઘોંઘાટ થતો હોય જેને બંધા કરાવવા દાનહ ભાજપ એસ.ટી. મોર્ચાના દ્વારા કલેક્‍ટરશ્રીને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ લાગે છે કે તેની કોઈ જ અસર નહીં પડી હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.
જો કે, જોર જોરથી ડી.જે.ના ઘોંઘાટથી તંગ આવતાં સ્‍ટેડિયમની બાજુંમાં જ આવેલ ટેનિસ કોર્ટમાં ટેનિસ રમતની પ્રેક્‍ટિસ કરી રહેલ જિલ્લાપંચાયતના સીઈઓ અને એમના મિત્ર તાત્‍કાલિક સ્‍ટેડીયમમાં દોડી આવ્‍યા હતા અને ઘોંઘાટ-ધ્‍વનિ પ્રદૂષણ બંધ કરવાનો આદેશ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદેશના ક્રિકેટ ટૂર્નામેન્‍ટના આયોજકો હંમેશા નિયમોના ઉલ્લંઘન કરતા જોવા મળે છે. સ્‍ટેડીયમમાં ડી.જે. વગાડવાની પરમીશન નહીં હોવા છતાં પણ મોટા અવાજે ડી.જે. વગાડી-શોરબકોર કરી નમો મેડીકલ કોલેજમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓ જેઓની હોસ્‍ટેલ સ્‍ટેડિયમની બાજુમાં જ આવેલી છે. હાલમાં તેઓની પરીક્ષા યોજાવાની છે. જેના માટે વિદ્યાર્થીનીઓ રાતદિવસ જાગીને વાંચન અને અભ્‍યાસ કરી છે. જેઓને આવી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વગેરેમાં કરાતા બિનજરૂરી ઘોંઘાટના કારણે ઘણી જ તકલીફો પડી રહી છે. તેથી આયોજકો ઉત્‍સાહના અતિરેકમાં આવ્‍યા વગર બિનજરૂરી ઘોંઘાટ બંધ કરે એ જરૂરી છે.
નમો મેડીકલ કોલેજ શરૂ થાય અને ત્‍યાં જ મેડીકલના વિદ્યાર્થીઓને હોસ્‍ટેલની સુવિધા મળે ત્‍યાં સુધી સાયલી ખાતેના સ્‍ટેડીયમ પર ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજવા માટેની પરવાનગી આપવામાં આવે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.

Related posts

જી-20 સમિટમાં પોલિકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા લગાવવામાં આવેલ સ્‍ટોલોનું પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓએ કરેલું અવલોકન

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, સિલવાસા કેમ્‍પસ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં છઠ્ઠ પૂજાની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાટો તૈયાર કરાયા

vartmanpravah

રાજ્‍યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્‍ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્‍વોરી ઉદ્યોગમાં આનંદની લહેર

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્‍ય સચિવ ડો.એ. મુથમ્‍માની સલાહ પર દમણની પોલીકેબ ઈન્‍ડિયા લિ. કંપનીએ પ્રશાસનના સહયોગથી સીએસઆર હેઠળ પોષણ કીટનું કરેલું વિતરણ

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment