April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં છઠ્ઠ પૂજાની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાટો તૈયાર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે એ જ રીતે ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ સહિતના ઉત્તર-પૂર્વભારતીય લોકો માટે છઠ્ઠ પૂજાનું મહત્ત્વ અલગ છે. તેમની આસ્‍થાના મહાપર્વ છઠ્ઠ પૂજાને લઈને દાનહમાં વહીવટી તંત્ર દ્વારા નદી, નહેર સહિતના વિવિધ સ્‍થળોએ ઘાટો તૈયાર કરાયા છે. જ્‍યાં શ્રદ્ધાળુઓ વહીવટી તંત્રની ટીમની નજર હેઠળ પોતાના તહેવાર નિમિત્તે પૂજાવિધિ કરી શકે.
છઠ્ઠ પૂજાવિધિ માટે દાનહ વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલા ઘાટોમાં દાદરા ખાતે દમણગંગા નદી કિનારે, રખોલી ગામે, આંબોલી પંચાયત દ્વારા બિન્‍દ્રાબિન મંદિર પાછળ સાકરતોડ નદી કિનારે અને ખાનવેલમાં નદી કિનારે ઘાટો તૈયાર કરાયા છે. આ દરમિયાન પ્રશાસનના અધિકારીઓએ નદી કિનારે ઘાટોનું સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન નક્કી કરાયેલા ઘાટો પર સાફ-સફાઈ કરી સ્‍વચ્‍છતા રાખવા સહિત વીજળી અને પાણીની વ્‍યવસ્‍થા માટે તેમજ દરેક ભાવિકોને છઠ્ઠ પૂજાનો સામાન મળી રહે તેની તકેદારી લીધી હતી.
આ અવસરે દાનહ જિલ્લા પંચાયતના ડી.પી.ઓ. શ્રી પંકજસિંહ પરમાર સહિત એમની ટીમ દ્વારા જવાબદાર અધિકારીઓને દિશા-નિર્દેશ આપવામાં આવ્‍યા હતા.
અત્રે યાદ રહે કે, છઠ્ઠ પૂજા વિધિ સંપન્ન થયા બાદ દરેક ઘાટો ઉપર ગંદકી નહીં રહે તેની તકેદારી પણ પ્રશાસને લેવી ખુબ જરૂરી છે. તેથી પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલા તમામ ઘાટો ઉપરથી પૂજા વિધિ સંપન્ન થયા બાદ તમામ પ્રકારની પૂજાસામગ્રીમાં વપરાયેલી ચીજવસ્‍તુઓનો યોગ્‍ય અને વ્‍યવસ્‍થિત નિકાલ કરવામાં આવે અને પર્યાવરણની જાળવણી કરવામાં આવે તે ખુબ જરૂરી છે.

Related posts

મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી વીઆઈએ પ્રમુખ, મંત્રી અને બોર્ડ સભ્‍યો દ્વારા ગૃહ અને ખાણ વિભાગના મુખ્‍ય સચિવ સાથે વાપીમાં સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી

vartmanpravah

વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાની ૫ નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઇ કામગીરી શરૂ

vartmanpravah

સેલવાસની યુવતી દ્વારા મૌલાના પર દુષ્‍કર્મના આરોપમા મૌલાનાના સેમ્‍પલો પણ ફોરેન્સિક ટેસ્‍ટ માટે મોકલાયા

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે સાદગીપૂર્ણ રીતે થનારી મુક્‍તિ દિવસની ઉજવણી

vartmanpravah

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે દમણ દાભેલની સ્‍વામી નારાયણ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment