September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

રાજ્‍યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્‍ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્‍વોરી ઉદ્યોગમાં આનંદની લહેર

ચીખલી તાલુકાના ક્‍વોરી સંચાલકો અને માલિકોમાં ખુશીનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકામાં મોટી સંખ્‍યામાં પથ્‍થરોની ખાણો અને ક્રશર પ્‍લાન્‍ટો સાથે ક્‍વોરી ઉદ્યોગ ધમધમે છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચીખલી વિસ્‍તારમાં સૌથી મોટો ક્‍વોરી ઉધોગ છે. ત્‍યારે થોડા વર્ષ પૂર્વે સરકાર દ્વારા લીઝની ફાળવણીમાં નિયમોમાં ફેરફાર કરાતા ખાનગી માલિકીની જમીનમાં લીઝ ફાળવવા માટે હરાજીની પ્રથા દાખલ કરવામાં આવી હતી. જેને લઈને અનેક મુશ્‍કેલીઓ સર્જાતા ક્‍વોરીના સંચાલકો દ્વારા સરકારના ખાણ ખનીજ અને અન્‍ય સંબંધિત વિભાગોમાં અવાર નવાર રજૂઆત કરવામાં આવી રહી હતી. જેને લઈને સરકાર દ્વારા ગુજરાત ગૌણ ખનીજ છૂટછાટ (સુધારા) નિયમો-2022માં વહીવટી સરળતા અને જાહેર હિતના હેતુ સાથે ખાણકામ નિયમોમાં સુધારો જાહેર કરી હવેથી ખાનગી જમીન માલિકોને ચાર હેકટર સુધીના વિસ્‍તારમાં તમામ ગૌણ ખનીજો માટે જાહેર હરાજી વગર અરજી આધારિત નિયમોનુસાર પ્રીમિયમથી લીઝની ફાળવણી કરવાનું જાહેર કરવામાં આવતા વર્ષો જૂની માંગણી સંતોષાતા ક્‍વોરી સંચાલકોમાં ખુશી ફેલાઈ જવા પામી છે.

લીઝ મેળવવા માટે મંજૂરી જરૂરી: લીઝ મેળવવા એન્‍વાયરમેન્‍ટ ક્‍લિયરન્‍સ, એનઓસી, વનવિભાગનું ક્‍લિયરન્‍સ, મહેસૂલી અભિપ્રાય વગેરેને નવી મંજૂરી સમયે અગાઉ લેવામાં આવેલ મંજૂરીને માન્‍યગણવામાં આવશે અને બીજીવાર મંજૂરી લેવાની જરૂરિયાત ન હોવાનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે.
વર્ષોની જૂની માંગણી સંતોષાઈ : નવસારી જિલ્લા ક્‍વોરી એસો. પ્રમુખ સલીમભાઈ પટેલ
નવસારી જિલ્લા ક્‍વોરી એસોસિએશનના પ્રમુખ સલીમભાઈ પટેલના જણાવ્‍યાનુસાર લીઝ માટે જાહેર હરાજીના નિયમથી ખાનગી જમીન માલિકોને મોટું નુકસાન થયું હતું. જે બાબતની રજૂઆત કરાતા સરકાર દ્વારા જાહેર હરાજીનો નિર્ણય પડતો મૂકી ક્‍વોરી સંચાલકોની વર્ષો જૂની અનેક માંગણીઓમાં મહત્‍વની એક માંગણી સંતોષવામાં આવી છે.

Related posts

જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્‍ડ લાઈન, દમણનાસંયુક્‍ત ઉપક્રમે નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે’ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

હાઈવે ઉદવાડા-વલસાડ ટ્રેક ઉપર કન્‍ટેનરથી ટ્રેલર છૂટું પડી જતા ચાર-પાંચ વાહનોને અડફેટમાં લીધા

vartmanpravah

દાનહ કૃષિ અને વન વિભાગ દ્વારા પ્રદેશના ખેડૂતોને વર્મીકમ્‍પોસ્‍ટ ખાતર અને જીવામૃત બનાવવાની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

સેલવાસ અને દમણમાં બિપરજોય વાવાઝોડાંની અસરઃ સાંજના સમયે વરસેલો વરસાદ

vartmanpravah

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 50 ટકા બેઠકો આરક્ષિત દમણની માછી મહાજન બી.એડ.કોલેજની સ્‍થાપનાના 28 વર્ષ દરમિયાન સમાજને 1500 જેટલા શિક્ષકોની આપેલી ભેટ

vartmanpravah

Leave a Comment