Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરને કરંટ લાગવાથી મોત નીપજ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજનાથકુમાર બાલેશ્વર રામ (ઉ.વ-30) (હાલ રહે.કૈલાશ સ્‍ટોન ક્રસર પ્‍લાન્‍ટમાં તા.ચીખલી) (મૂળ રહે.વોર્ડ નં-5 ગામ બાના થાના મેરાલ જી.ગઠવા મેરાલ ઝારખંડ) જે આલીપોર કૈલાશ ક્રસર પ્‍લાન્‍ટમાં ફોરમેન તરીકે વેલ્‍ડીંગ કામ કરતો હતો. દરમ્‍યાન રવિવારની બપોરના સમયે અચાનક બુમો પાડતા સાથી વર્કરો પહોંચી જતા રાજનાથકુમાર બેભાન હાલતમાં નીચે પડેલ હતો.અને બાજુમાં પડેલ ઈલેક્‍ટ્રિક વેલ્‍ડીંગ હોલ્‍ડરથી કરંટ લાગતા તેનું મોત નીપજ્‍યું હતું. બનાવ અંગેની ફરિયાદ હિમાંશુ કૌશલશ્રીવાસ્‍થવ (રહે.કૈલાશ સ્‍ટોન ક્રસર પ્‍લાન્‍ટના કવાટર્સમાં આલીપોર તા.ચીખલી) એ આપતા વધુ તપાસ પીએસઆઇ-સમીર જે.કડીવાલા કરી રહ્યા છે.

Related posts

દમણ જિલ્લા અદાલતમાં યોજાયેલી લોક અદાલતમાં 35 કેસોનું સમાધાન કરાયું

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

રસ્‍તે ચાલીને જતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવતા આરોપીઓની દમણ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

વાપી સરદાર વલ્લભભાઈ સ્‍કૂલમાં સ્‍માર્ટ ગર્લ્‍સ સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે?

vartmanpravah

Leave a Comment