October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરને કરંટ લાગવાથી મોત નીપજ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજનાથકુમાર બાલેશ્વર રામ (ઉ.વ-30) (હાલ રહે.કૈલાશ સ્‍ટોન ક્રસર પ્‍લાન્‍ટમાં તા.ચીખલી) (મૂળ રહે.વોર્ડ નં-5 ગામ બાના થાના મેરાલ જી.ગઠવા મેરાલ ઝારખંડ) જે આલીપોર કૈલાશ ક્રસર પ્‍લાન્‍ટમાં ફોરમેન તરીકે વેલ્‍ડીંગ કામ કરતો હતો. દરમ્‍યાન રવિવારની બપોરના સમયે અચાનક બુમો પાડતા સાથી વર્કરો પહોંચી જતા રાજનાથકુમાર બેભાન હાલતમાં નીચે પડેલ હતો.અને બાજુમાં પડેલ ઈલેક્‍ટ્રિક વેલ્‍ડીંગ હોલ્‍ડરથી કરંટ લાગતા તેનું મોત નીપજ્‍યું હતું. બનાવ અંગેની ફરિયાદ હિમાંશુ કૌશલશ્રીવાસ્‍થવ (રહે.કૈલાશ સ્‍ટોન ક્રસર પ્‍લાન્‍ટના કવાટર્સમાં આલીપોર તા.ચીખલી) એ આપતા વધુ તપાસ પીએસઆઇ-સમીર જે.કડીવાલા કરી રહ્યા છે.

Related posts

મધ્‍યપ્રદેશના રાજયપાલશ્રીએ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી : કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારો

vartmanpravah

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સાયન્સનું ૪૬.૯૨ ટકા પરિણામ

vartmanpravah

કોરોનાની સામે લડત આપવા દીવ સરકારી હોસ્‍પિટલ દરેક સુવિધાઓથી સજ્જ

vartmanpravah

પીપરીયા રીક્ષા સ્‍ટેન્‍ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હટાવ્‍યું

vartmanpravah

Leave a Comment