Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરને કરંટ લાગવાથી મોત નીપજ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજનાથકુમાર બાલેશ્વર રામ (ઉ.વ-30) (હાલ રહે.કૈલાશ સ્‍ટોન ક્રસર પ્‍લાન્‍ટમાં તા.ચીખલી) (મૂળ રહે.વોર્ડ નં-5 ગામ બાના થાના મેરાલ જી.ગઠવા મેરાલ ઝારખંડ) જે આલીપોર કૈલાશ ક્રસર પ્‍લાન્‍ટમાં ફોરમેન તરીકે વેલ્‍ડીંગ કામ કરતો હતો. દરમ્‍યાન રવિવારની બપોરના સમયે અચાનક બુમો પાડતા સાથી વર્કરો પહોંચી જતા રાજનાથકુમાર બેભાન હાલતમાં નીચે પડેલ હતો.અને બાજુમાં પડેલ ઈલેક્‍ટ્રિક વેલ્‍ડીંગ હોલ્‍ડરથી કરંટ લાગતા તેનું મોત નીપજ્‍યું હતું. બનાવ અંગેની ફરિયાદ હિમાંશુ કૌશલશ્રીવાસ્‍થવ (રહે.કૈલાશ સ્‍ટોન ક્રસર પ્‍લાન્‍ટના કવાટર્સમાં આલીપોર તા.ચીખલી) એ આપતા વધુ તપાસ પીએસઆઇ-સમીર જે.કડીવાલા કરી રહ્યા છે.

Related posts

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે તેજ કરેલી કવાયત

vartmanpravah

દીવ જિલ્લા બીજેપી મહિલા મોરચાએ જનસંખ્‍યા નિયંત્રણ પર વિવાદિત ટિપ્‍પણી કરનાર બિહારના સીએમ નિતીશ કુમારનું પુતળું બાળી વિરોધ દર્શાવ્‍યો

vartmanpravah

કપરાડા જીરવલ ગામેથી પોતાની ઈકો કાર લઈ નિકળેલ યુવાન ગુમ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

Leave a Comment