Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આદિવાસી એકતા પરિષદ દ્વારા દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયને હેરાન કરવાના મુદ્દે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ દ્વારા ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાય પર જંગલમાં ખેતી કરનાર આદિવાસી પરિવારો પર ફોરેસ્‍ટ વિભાગ દ્વારા એફઆઈઆર દાખલ કરી રહી છે, જે સંદર્ભે કલેક્‍ટરનેલેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્‍યા અનુસાર ભારત દેશ આઝાદ થવા પહેલા બ્રિટિશ ફોરેસ્‍ટર એક્‍ટ મુજબ ફોરેસ્‍ટ વિસ્‍તારની જમીનનો વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવતો હતો. 1947માં ભારત દેશ આઝાદ થયા બાદ બ્રિટિશ ફોરેસ્‍ટ એક્‍ટના તાબામાં ચાલતી આવી રહી હતી. આઝાદી બાદ દરેક ફોરેસ્‍ટની જમીન ઈન્‍ડિયન ફોરેસ્‍ટ એક્‍ટને આધીન ચાલી ગઈ હતી.
બીજી તરફ આજના ભારત દેશના કેટલાક ભાગમાં પોર્ટુગીઝનું શાસન ચાલી રહ્યું હતું. જેમાં એક વિસ્‍તાર દાદરા નગર હવેલી અને દમણ દીવ પણ હતો અને આ જંગલ વિસ્‍તારમા પોર્ટુગીઝ ફોરેસ્‍ટ એક્‍ટ મુજબ દાનહ વિસ્‍તારની ફોરેસ્‍ટની જમીનનો વહીવટ કરવામાં આવતો હતો એ સમયે જંગલની જમીન આદિવાસી સમુદાયના લોકોને જંગલની જમીન લીઝ ફોર એગ્રીમેન્‍ટ મુજબ ખેતી કરવા માટે આપવામાં આવતી હતી. પોર્ટુગીઝ શાસનના અંત બાદ મુખ્‍ય રૂપે ગોવાથી વહીવટ કરવામાં આવતો હતો અને દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા એજ રૂલ્‍સનો અમલ કરી લીઝ ફોર એગ્રીમેન્‍ટ મુજબ સેંકડો આદિવાસી પરિવારને ફોરેસ્‍ટની જમીન ખેતી કરવા માટે આપવામાં આવતી હતી અને એ સમયે આદિવાસી પરિવાર ફોરેસ્‍ટની જમીન પર ખેતી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા.
આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર લાંબી કાનૂનીલડાઈ બાદ અંતમા નિર્ણય લેવામાં આવેલ કે દાનહને 11 ઓગસ્‍ટ 1961ના રોજ ભારત ગણરાજ્‍યનો ભાગ બનાવવા માટે વિલય કરવા માટે કરાર કરવામાં આવેલ અને એજ મુજબ ઈન્‍ડિયન ફોરેસ્‍ટ એક્‍ટ મુજબ દાનહની જંગલની જમીન તાબામાં લેવામાં આવી હતી.
હાલમાં ફોરેસ્‍ટ વિભાગના કેટલાક અધિકારીઓ આદિવાસીઓ પર એફઆઈઆર કરી ઈરાદાપૂર્વક ડરાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આ પ્રકારનું કળત્‍ય કરવું એ દુર્ભાગ્‍યપૂર્ણ અને નિંદનીય છે.
જેથી કલેક્‍ટરને નિવેદન કરવામાં આવે છે કે, નવા નવા ફોરેસ્‍ટ વિભાગના અધિકારીઓને દાનહના ઈતિહાસની જાણકારી આપો અને ફોરેસ્‍ટ વિભાગને સૂચિત કરે કે આદિવાસી સમુદાય પર નાનામોટા મામલામાં એફઆઈઆર કરી હેરાન કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે અને જંગલની અંદર ખેતી નહિ કરવા દેવું એ ઘણુ દુઃખદ છે, ફોરેસ્‍ટની જમીનમાં વર્ષોથી ખેતી કરી જીવનાર સેંકડો આદિવાસી પરિવારોને હવે ફોરેસ્‍ટ વિભાગ જંગલની જમીન પર ખેતી નહિ કરવા દઈ રહ્યા છે, આખરે જિલ્લા પ્રશાસન આદિવાસીઓ સાથે આવો શોટેલો વ્‍યવહાર કેમ? આખરે જિલ્લા પ્રશાસન સ્‍થાનિક સમુદાયો સાથે ભેદભાવની નીતિ કેમ અપનાવી રહી છે. દાનહ બાહુલ્‍ય આદિવાસી વિસ્‍તાર છે અને અનુસૂચિત-પના દાયરામાંઆવતો વિસ્‍તાર છે એના સિવાય આદિવાસી સમુદાયને લઈ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટ આવેલ પરંતુ એને જિલ્લા પ્રશાસન દ્વારા કોઈ જ ધ્‍યાનમાં લેવામાં આવતા નથી. આવી જ રીતનો રવૈયો રહેશે તો આવા અફસરશાહીના વિરુદ્ધ ગાંધી ચિંધ્‍યા માર્ગે જન આંદોલનનું આહ્‌વાન કરવું પડશે અને રોડ પર ઉતરવું પડશે જેના માટે જવાબદાર દાનહ ફોરેસ્‍ટ વિભાગ અને જિલ્લા પ્રશાસન રહેશે.

Related posts

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પદ્મશ્રી પ્રભાબેન શાહને પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીને આરોગ્‍ય સૂચક આંકના આધારે કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં મળેલું પ્રથમ સ્‍થાન

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah

Leave a Comment