February 7, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ગુજરાત બોર્ડના સામાન્‍ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકાઃ સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર

દમણ જિલ્લાનું 91.42 ટકા અને દીવ જિલ્લાનું 97.91 ટકા અધધ… પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ગુજરાત ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડના જાહેર થયેલા સામાન્‍ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકા રહેતાં સંઘપ્રદેશના પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર દેખાઈ રહી છે.
આ વર્ષે દમણ જિલ્લાની સરકારી શાળાનું પરિણામ 95.67 ટકા રહ્યું છે. જે ગયા વર્ષની તુલનામાં 20.74 ટકા વધુ છે.
દમણ જિલ્લાની સરકારી શાળામાં કુલ 254 વિદ્યાર્થીઓએ ધોરણ 12ના સામાન્‍ય પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી 243 ઉત્તિર્ણ થયા હતા. જ્‍યારે ગવર્નમેન્‍ટ એઈડેડ શાળામાં કુલ 218 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 190 પાસ થતાં કુલ પરિણામ 87.16 ટકા આવ્‍યું છે. જે ગત વર્ષ કરતા 24.53 ટકા વધુ છે.
ખાનગી શાળાઓમાં 344 વિદ્યાર્થીઓએ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી 313 ઉત્તિર્ણ થતાં 90.99 ટકા પરિણામ રહ્યું હતું. જે ગત વર્ષની તુલનામાં 18.93 ટકા વધુ છે. દમણ જિલ્લાની સરકારી અને ખાનગીશાળા મળી કુલ પરિણામ 91.42 ટકા રહ્યું હતું જે ગત વર્ષ કરતાં 19.36 ટકા વધુ છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત બોર્ડના સામાન્‍ય પ્રવાહનું પરિણામ પણ આ વખતે 91.93 ટકા જેટલું ઉદાર જાહેર થતાં તેની અસર પણ દમણ જિલ્લામાં દેખાઈ છે.
દીવ જિલ્લામાં 3 સરકારી શાળાનું પરિણામ 100 ટકા રહ્યું છે. દીવ જિલ્લામાં કુલ 382 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 374 પાસ થતાં કુલ પરિણામ 97.91 ટકા રહ્યું હતું જે ગત વર્ષના પરિણામ કરતા 32.42 ટકા વધુ રહ્યું છે.

Related posts

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્‍ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

યોગ ધ્‍યાન અને પ્રાણાયામને કારણે શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકાય છે : તૃપ્તિબેન પરમાર

vartmanpravah

Leave a Comment