Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ગુજરાત બોર્ડના સામાન્‍ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકાઃ સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર

દમણ જિલ્લાનું 91.42 ટકા અને દીવ જિલ્લાનું 97.91 ટકા અધધ… પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ગુજરાત ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડના જાહેર થયેલા સામાન્‍ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકા રહેતાં સંઘપ્રદેશના પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર દેખાઈ રહી છે.
આ વર્ષે દમણ જિલ્લાની સરકારી શાળાનું પરિણામ 95.67 ટકા રહ્યું છે. જે ગયા વર્ષની તુલનામાં 20.74 ટકા વધુ છે.
દમણ જિલ્લાની સરકારી શાળામાં કુલ 254 વિદ્યાર્થીઓએ ધોરણ 12ના સામાન્‍ય પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી 243 ઉત્તિર્ણ થયા હતા. જ્‍યારે ગવર્નમેન્‍ટ એઈડેડ શાળામાં કુલ 218 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 190 પાસ થતાં કુલ પરિણામ 87.16 ટકા આવ્‍યું છે. જે ગત વર્ષ કરતા 24.53 ટકા વધુ છે.
ખાનગી શાળાઓમાં 344 વિદ્યાર્થીઓએ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી 313 ઉત્તિર્ણ થતાં 90.99 ટકા પરિણામ રહ્યું હતું. જે ગત વર્ષની તુલનામાં 18.93 ટકા વધુ છે. દમણ જિલ્લાની સરકારી અને ખાનગીશાળા મળી કુલ પરિણામ 91.42 ટકા રહ્યું હતું જે ગત વર્ષ કરતાં 19.36 ટકા વધુ છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત બોર્ડના સામાન્‍ય પ્રવાહનું પરિણામ પણ આ વખતે 91.93 ટકા જેટલું ઉદાર જાહેર થતાં તેની અસર પણ દમણ જિલ્લામાં દેખાઈ છે.
દીવ જિલ્લામાં 3 સરકારી શાળાનું પરિણામ 100 ટકા રહ્યું છે. દીવ જિલ્લામાં કુલ 382 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 374 પાસ થતાં કુલ પરિણામ 97.91 ટકા રહ્યું હતું જે ગત વર્ષના પરિણામ કરતા 32.42 ટકા વધુ રહ્યું છે.

Related posts

આજે રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય બોક્‍સિંગ ફેડરેશન દ્વારા મોન્‍ટેનેગ્રોમાં આયોજીત યુથ બોક્‍સિંગ કપ-2024માં સંઘપ્રદેશના બોક્‍સર સુમીતનું શાનદાર પ્રદર્શનઃ ઓસ્‍ટ્રિયા અને પોલેન્‍ડના ખેલાડીઓને પરાજીત કરી ક્‍વાર્ટર ફાઈનલમાં કરેલો પ્રવેશ

vartmanpravah

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રશાસકશ્રીની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

Leave a Comment