વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ નરોલી બ્રીજની પાસે આઝાદભાઇના ભંગારના ગોડાઉનમાં રહેતા અશોકભાઇનો મૃતદેહ તા.૪/પ/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યા પહેલાં ડહેલી હાંડલપાડા ખાતેથી મળી આવ્યો હતો. જેનું પૂરું નામ-સરનામું મળેલ નથી અને વાલીવારસોની તપાસ કરતાં તેઓ મળી આવ્યા નથી. આ મૃતકની ઉંમર આશરે ૩પ વર્ષ શરીરે આસમાની લાઇનિંગવાળો શર્ટ તથા અંદર મરૂન રંગની બનિયાન કમરે ક્રીમ કલરનો પેન્ટ પહેર્યો છે. આ વર્ણનવાળા વ્યક્તિના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Previous post
Next Post