June 29, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા

ગયા વર્ષ કરતાં 52.42 ટકા પરિણામ વધુ આવતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ગુજરાત બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા આવ્‍યું છે. ગયા વર્ષે 52.42 ટકા પરિણામ રહ્યું હતું. જે આ વખતે ગત વર્ષની તુલનામાં 22.53 ટકા વધુ છે.
દાદરા નગર હવેલીની સરકારી શાળાનું પરિણામ 79.07 ટકા રહ્યું છે અને ખાનગી શાળાનું પરિણામ 83.96 ટકારહેવા પામ્‍યું છે.
દમણમાં સરકારી શાળાનું પરિણામ 91.67 ટકા જે ગત વર્ષની તુલનામાં 2.45 ટકા ઓછું રહ્યું છે. ગયા વર્ષે બોર્ડનું પરિણામ ઓછું આવવા છતાં દમણની સરકારી શાળાનું પરિણામ 94.12 ટકા રહ્યું હતું. દમણ જિલ્લામાં ગવર્નમેન્‍ટ એઈડેડ શાળાનું પરિણામ 73.33 ટકા રહેવા પામ્‍યું છે. જે ગત વર્ષની તુલનામાં 21.47 ટકા વધુ છે. જ્‍યારે ખાનગી શાળાઓનું પરિણામ 63.92 ટકા આવ્‍યું છે જે ગત વર્ષની તુલનામાં 6.26 ટકા વધુ છે.
આમ, દમણ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 70.87 ટકા આવ્‍યું છે.
દીવ જિલ્લામાં સરકારી શાળાઓનું પરિણામ 73.75 ટકા આવ્‍યું છે. ગયા વર્ષે દીવ જિલ્લાની સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ફક્‍ત 33.89 ટકા હતું. જેમાં 39.86 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે.
દીવ જિલ્લાનું કુલ પરિણામ 73.75 ટકા આવ્‍યું છે જે ગત વર્ષની તુલનામાં 39.86 ટકા વધુ છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કુલ 74.95 ટકા રહ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 22. 53 ટકા વધુ છે.

Related posts

ઇનોવેશન હબ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે અસ્થમા ડે નિમિત્તે શૈક્ષણિક કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી બાલચોંડીમાં કાર્યકર સંમેલન યોજાયું

vartmanpravah

કન્‍યાકુમારી થી કાશ્‍મિર સુધી ડ્રગનો સંદેશ લઈ બે યુવાનો એક વ્‍હિલ વાળી સાયકલો ચલાવી વલસાડ આવી પહોંચ્‍યા

vartmanpravah

દાનહમાં વિવિધ પ્રજાતિઓના 181 પક્ષીઓઃ વન વિભાગના સર્વેનું પ્રમાણ

vartmanpravah

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા 6 એપ્રિલથી ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘરચલો’ અભિયાન શરૂ કરાશે

vartmanpravah

Leave a Comment