August 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

માછી સમાજની છેવાડેની બોરાજીવા શેરી ખાતે દમણમાં મિલકતના વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈને કોયતાના ઘા મારી રહેંસી નાંખી કરેલી હત્‍યા

દમણ ન.પા.ના પૂર્વ કાઉન્‍સિલર અશોક કાશીએ પોતાના સગા નાના ભાઈ વીક્કી ટંડેલની કરેલી હત્‍યાથી સમગ્ર માછી સમાજ સ્‍તબ્‍ધઃ દમણના 500 કરતા વધુ વર્ષના ઈતિહાસમાં સંભવતઃ પહેલી વખત બનેલી શરમજનક ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : નાની દમણની માછી સમાજની છેવાડેની બોરાજીવા શેરી ખાતે મિલકતના ઝઘડામાં પોતાના સગા મોટા ભાઈએ નાના ભાઈને કોયતાના ઘા મારી રહેંસી નાંખવાની ઘટના બનતાં શાંતિપ્રિય માછી સમાજ સ્‍તબ્‍ધ બની ગયો છે. મૃતક વીક્કી ટંડેલે પોતાના ટેકેદાર યુવાનો સાથે લોકસભાની ચૂંટણી દરમિયાન જ ભાજપની કંઠી બાંધી હતી અને ખુબ જ ખંતથી ભાજપનું કામ પણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ માછી સમાજના 500 કરતા વધુ વર્ષના ઇતિહાસમાં નહીં બની હોય એવી ઘટના ગઈકાલ તા.09મી મેની મધ્‍યરાત્રિના 11:00 થી 12:00 વાગ્‍યાના સુમારે દમણ નગરપાલિકાના પૂર્વ કાઉન્‍સિલર અશોક હરિભાઈ ટંડેલ ઉર્ફે અશોક કાશીએ પોતાના સગા નાના ભાઈ વીક્કી ટંડેલને ગરદનના પાછળના ભાગે કોયતાથી ઘા કરી રહેંસી નાંખતા ઘટના સ્‍થળે જ મોત થયું હોવાનું જાણવા મળે છે.પોલીસ રિપોર્ટ પ્રમાણે તા.10મી મેના રાત્રિના 12:05 વાગ્‍યે માહિતી મળી હતી બોરાજીવા શેરી નાની દમણ ખાતે રહેતા વીક્કી હરિ ટંડેલ (ઉ.વ.38)ને સરકારી મોટી દમણ હોસ્‍પિટલ ખાતે ધારદાર હથિયારથી પ્રાણઘાતક ઈજાઓ સાથે લાવવામાં આવ્‍યા છે અને ફરજ ઉપરના ડોક્‍ટરોએ મૃત જાહેર કર્યો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દમણ પોલીસે સીસીટીવી સહિત પોતાની તેજ કરેલી તપાસમાં હત્‍યારા તરીકે પોતાના મોટાભાઈ અશોક હરિ ટંડેલ ઉર્ફે અશોક કાશીની ઓળખ થતાં તેની ધરપકડ કરી આજે અદાલતમાં રજૂ કરતા સોમવાર સુધી પોલીસ કસ્‍ટડી આપવામાં આવી છે.
દમણ પોલીસ સમગ્ર ઘટનાની આઈ.પી.સી.ની કલમ 302 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.

Related posts

યુક્રેનથી અધુરો અભ્‍યાસ છોડી પરત આવેલા વિદ્યાર્થીઓની પડખે પ્રદેશ ભાજપ : આરોગ્‍ય સચિવને કરેલી રજૂઆત

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

વલવાડા ખાતે શ્રી વિશ્વેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત નવરાત્રીએ જમાવેલુ આકર્ષણ

vartmanpravah

વાપી કોંગ્રેસ દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી અને દ્વિતિય વડા પ્રધાન લાલ બહાદુર શાષાીની જન્‍મ જયંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment