December 22, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા

ગયા વર્ષ કરતાં 52.42 ટકા પરિણામ વધુ આવતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ગુજરાત બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા આવ્‍યું છે. ગયા વર્ષે 52.42 ટકા પરિણામ રહ્યું હતું. જે આ વખતે ગત વર્ષની તુલનામાં 22.53 ટકા વધુ છે.
દાદરા નગર હવેલીની સરકારી શાળાનું પરિણામ 79.07 ટકા રહ્યું છે અને ખાનગી શાળાનું પરિણામ 83.96 ટકારહેવા પામ્‍યું છે.
દમણમાં સરકારી શાળાનું પરિણામ 91.67 ટકા જે ગત વર્ષની તુલનામાં 2.45 ટકા ઓછું રહ્યું છે. ગયા વર્ષે બોર્ડનું પરિણામ ઓછું આવવા છતાં દમણની સરકારી શાળાનું પરિણામ 94.12 ટકા રહ્યું હતું. દમણ જિલ્લામાં ગવર્નમેન્‍ટ એઈડેડ શાળાનું પરિણામ 73.33 ટકા રહેવા પામ્‍યું છે. જે ગત વર્ષની તુલનામાં 21.47 ટકા વધુ છે. જ્‍યારે ખાનગી શાળાઓનું પરિણામ 63.92 ટકા આવ્‍યું છે જે ગત વર્ષની તુલનામાં 6.26 ટકા વધુ છે.
આમ, દમણ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 70.87 ટકા આવ્‍યું છે.
દીવ જિલ્લામાં સરકારી શાળાઓનું પરિણામ 73.75 ટકા આવ્‍યું છે. ગયા વર્ષે દીવ જિલ્લાની સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ફક્‍ત 33.89 ટકા હતું. જેમાં 39.86 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે.
દીવ જિલ્લાનું કુલ પરિણામ 73.75 ટકા આવ્‍યું છે જે ગત વર્ષની તુલનામાં 39.86 ટકા વધુ છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કુલ 74.95 ટકા રહ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 22. 53 ટકા વધુ છે.

Related posts

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

vartmanpravah

વલસાડની એન.એચ. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી એથ્‍લેટીક્‍સ મીટમાં 13 મેડલ જીત્‍યા

vartmanpravah

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું સફળ આયોજનઃ 10 નવયુગલોએ પાડેલા પ્રભૂતામાંપગલાં

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

વરસાદની ઘટ વચ્‍ચે આવનાર 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બર્ખાસ્‍ત કરવાનો લીધેલો નિર્ણય ઐતિહાસિક અને આવકારદાયક : પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment