Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા

ગયા વર્ષ કરતાં 52.42 ટકા પરિણામ વધુ આવતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ગુજરાત બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા આવ્‍યું છે. ગયા વર્ષે 52.42 ટકા પરિણામ રહ્યું હતું. જે આ વખતે ગત વર્ષની તુલનામાં 22.53 ટકા વધુ છે.
દાદરા નગર હવેલીની સરકારી શાળાનું પરિણામ 79.07 ટકા રહ્યું છે અને ખાનગી શાળાનું પરિણામ 83.96 ટકારહેવા પામ્‍યું છે.
દમણમાં સરકારી શાળાનું પરિણામ 91.67 ટકા જે ગત વર્ષની તુલનામાં 2.45 ટકા ઓછું રહ્યું છે. ગયા વર્ષે બોર્ડનું પરિણામ ઓછું આવવા છતાં દમણની સરકારી શાળાનું પરિણામ 94.12 ટકા રહ્યું હતું. દમણ જિલ્લામાં ગવર્નમેન્‍ટ એઈડેડ શાળાનું પરિણામ 73.33 ટકા રહેવા પામ્‍યું છે. જે ગત વર્ષની તુલનામાં 21.47 ટકા વધુ છે. જ્‍યારે ખાનગી શાળાઓનું પરિણામ 63.92 ટકા આવ્‍યું છે જે ગત વર્ષની તુલનામાં 6.26 ટકા વધુ છે.
આમ, દમણ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 70.87 ટકા આવ્‍યું છે.
દીવ જિલ્લામાં સરકારી શાળાઓનું પરિણામ 73.75 ટકા આવ્‍યું છે. ગયા વર્ષે દીવ જિલ્લાની સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ફક્‍ત 33.89 ટકા હતું. જેમાં 39.86 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે.
દીવ જિલ્લાનું કુલ પરિણામ 73.75 ટકા આવ્‍યું છે જે ગત વર્ષની તુલનામાં 39.86 ટકા વધુ છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કુલ 74.95 ટકા રહ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 22. 53 ટકા વધુ છે.

Related posts

ધરમપુરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.2.07 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.12.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ’: ફળશ્રુતિરૂપ વિદ્યાસેતુ છાત્રાલય ગુંદીયા ધરમપુરના અંતરીયાળ વિસ્‍તારમાં શિક્ષણની જ્‍યોત જગાવતા શિક્ષકો પરેશભાઈ અને મયુરભાઈ

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

ટોરેન્‍ટ પાવર કંપનીના સહયોગથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘નિક્ષય-નિકુષ્‍ઠ મિત્રો’ દ્વારા ટી.બી. અને રક્‍તપિત્તના દર્દીઓને પૌષ્‍ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

કપરાડામાં 3 સ્‍કૂલોમાં આશારામ બાપુના ફોટાની પૂજા-અર્ચના કરાવા બદલ 33 શિક્ષકોને નોટીસ ફટકારાઈ

vartmanpravah

Leave a Comment