April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં આજે આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમિક કાર્ડ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

વાપી, પારડી અને ઉમરગામ તાલુકાના અરજકર્તાઓ લાભ લઈ શકશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લા સેલ્‍ફ ફાઈનાન્‍સ સ્‍કૂલ એસોસિએશન અને સેલ્‍યુટ તિરંગાના ઉપક્રમે વાપીની શ્રી ક્રિષ્‍ના ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ગુંજન જીઆઈડીસી વાપી ખાતે વાપી, પારડી અને ઉમરગામ તાલુકાના લાભાર્થીઓ માટે આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમિક કાર્ડ અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન તારીખ 22-3-20023 ને બુધવારના રોજ સાંજે 4 કલાકે કરવામાં આવ્‍યું છે. આ સેમિનારમાં માર્ગદર્શક અને વક્‍તા તરીકે શ્રી બિમલભાઈ એન. ચૌહાણ પ્રમુખશ્રી, ઓબીસી મોરચા વાપી નોટિફાઈડ ઉપસ્‍થિત રહેશે તથા મુખ્‍ય મહેમાન તરીકે વિવેકભાઈ ગઢવી નાયબ મામલતદાર વાપી ખાસ ઉપસ્‍થિત રહેશે. આ સેમિનારમાં લાભ લેવા માટે વાપી, પારડી અને ઉમરગામ તાલુકાનાં તમામ મંડળ અને સેલ્‍ફ ફાઈનાન્‍સ સ્‍કૂલના સ્‍ટાફ સંચાલકો હાજર રહેશે સેમિનારમાં હાજરી આપતી વખતે સાથે આધારકાર્ડ, આવકનો દાખલો, મામલતદાર ઓફિસમાંથી મેળવેલ તથા રાશનકાર્ડની ઝેરોક્ષ કોપી લાવવાની રહેશે એવી અખબારી યાદી આપતા વલસાડ જિલ્લા સેલ ફાઈનાન્‍સ સ્‍કૂલ એસોસિએશનના અધ્‍યક્ષ શાષાી કપિલ જીવનદાસજી તથા પ્રમુખ શ્રી કુશ સાકરીયાએસંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ એન.એસ.એસ. દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં સૈનિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

vartmanpravah

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

vartmanpravah

વાંસદા તાલુકામાં સૌથી વધુ ૧૮૪ મી.મી વરસાદ નોંધાયો : કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા

vartmanpravah

Leave a Comment