Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સરકારી જમીન કોતર ઉપર કરાતા દબાણ સામે પ્રશાસનની લાલ આંખ દાનહના સાયલી ગામમાં સરકારી જમીન ઉપર બનેલ ત્રણ દુકાન અને ઘર સહિત સાત ગેરકાયદેસર ઢાબાઓનું ડિમોલિશન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાદરા નગર હવેલીના કલેકટર શ્રી રાકેશ મિન્‍હાસના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની કામગીરી 4થી એપ્રિલથી શરૂ કરવામા આવી હતી. જે હાલમાં પણ ચાલી રહી છે. સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા સાયલી ગામમાં સરકારી જમીન પર ત્રણ દુકાનો અને એક ઘર અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના વાસોણા,પાટી અને ચીંચપાડા ગામમા સાત ઢાબાઓ ગેરકાયદેસર બનેલ હતા. જેનું ડિમોલિશન કરવામા આવ્‍યું હતું.
પ્રશાસન દ્વારા અનુરોધ કરવામા આવ્‍યો છે કે જે કોઈએ પણ સરકારી જમીન અને સરકારી કોતર કે નહેર પર ગેરકાયદેસર અતિક્રમણ કર્યું હોય તેઓ જાતે જ હટાવી દે અથવા પ્રશાસન દ્વારા તેને દુર કરવામા આવશેઅને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા ‘‘વિશ્વ આદિવાસી દિવસ” નિમિતે મેગા ડોનેશન ડ્રાઈવ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

vartmanpravah

ઉદવાડા ગામમાં ચિકનની લારી પર ગ્રાહક અને લારી માલિક વચ્‍ચે મારામારી

vartmanpravah

દાનહમાં નહેર-કોતરો ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલીશનનું ચાલી રહેલું નિરંતર અભિયાન

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

Leave a Comment