(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાદરા નગર હવેલીના કલેકટર શ્રી રાકેશ મિન્હાસના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની કામગીરી 4થી એપ્રિલથી શરૂ કરવામા આવી હતી. જે હાલમાં પણ ચાલી રહી છે. સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા સાયલી ગામમાં સરકારી જમીન પર ત્રણ દુકાનો અને એક ઘર અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના વાસોણા,પાટી અને ચીંચપાડા ગામમા સાત ઢાબાઓ ગેરકાયદેસર બનેલ હતા. જેનું ડિમોલિશન કરવામા આવ્યું હતું.
પ્રશાસન દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે કે જે કોઈએ પણ સરકારી જમીન અને સરકારી કોતર કે નહેર પર ગેરકાયદેસર અતિક્રમણ કર્યું હોય તેઓ જાતે જ હટાવી દે અથવા પ્રશાસન દ્વારા તેને દુર કરવામા આવશેઅને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.