April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન સૌરભ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

નોટીફાઈડ ઓથોરોટી દ્વારા 76 લાખના ખર્ચે તૈયાર થયેલ પાર્ક નાણામંત્રી કનુભાઈદેસાઈના હસ્‍તે લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી જીઆઈડીસી ગુંજન ટાઉનશીપ સૌરભ સોસાયટીમાં આવેલ કોમન પ્‍લોટમાં નોટીફાઈડ ઓથોરીટી દ્વારા તૈયાર કરાયેલ ચિલ્‍ડ્રન પાર્કનો શનિવારે સાંજના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 76 લાખને ખર્ચે તૈયાર થયેલ સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કને નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્‍તે લોકાર્પણ કરાયો હતો.
વાપીની પોસ ગણાતી સૌરભ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષથી કોમન પ્‍લોટ ખાલી પડયો હતો તેથી સ્‍થાનિકો ઈચ્‍છતા હતા અહીં પાર્ક બને. તેથી નોટિફાઈડ ઓથોરીટીએ અધ્‍યતન સુવિધા સજ્જ નાનેરા-મોટેરા અને બાળકો માટે ચિલ્‍ડ્રન પાર્ક બનાવ્‍યો છે. વાપીમાં ગ્રીન સોસાયટી કાર્યરત છે. સોસાયટીના પ્રયાસોથી પાર્ક સાકાર થયો છે. ગ્રીન સોસાયટી પર્યાવરણ ક્ષેત્રો નોંધનીય કાર્યવાહી કરી રહેલ છે. પાર્કમાં બાળકો માટે હિંચકા, લપસણી, મોટેરા માટે બેન્‍ચ, વોકીંગ ટ્રેક, ગ્રીનરી માટે 127 મોટા વૃક્ષ તથા પ્‍લે એરીયા સાથે ટોયલેટ, બાથરૂમ, સ્‍ટોર રૂમ જેવી સુવિધાઓ ચિલ્‍ડ્રન પાર્કમાં તૈયાર કરાઈ છે. ઉદ્દઘાટન પ્રસંગે વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, પૂર્વ પ્રમુખ યોગેશ કાબરીયા, સેક્રેટરી સતીષ પટેલ, ભાજપ સંગઠન પદાધિકારીઓ, હુબર, મેરીલ જેવા અકમોના સંચાલકો, ઉદ્યોગકારો અને સ્‍થાનિક રહીશોઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સમગ્ર સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવની મિશાલ બનેલા ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શૌકતભાઈ મિઠાણી

vartmanpravah

ગોવા કો-ઓ. બેંકના તત્‍કાલિન મેનેજર બાબર ટંડેલ અને સોનુ પ્રમાણિત કરનાર લલિત સોનીને 3 વર્ષની સજાઃ રૂા.19 હજારનો દંડ

vartmanpravah

ખોટી ભ્રામક વાતોથી છેતરાયા હોવાનો લોકોને અહેસાસ થતાં દમણ-દીવમાં આજે જો ચૂંટણી થાય તો ભાજપ પ્રચંડ બહુમતિથી વિજયી બનેઃ ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અરૂણ સિંહ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ ઝૂંબેશ અંગે રાત્રિ ચોપાલ

vartmanpravah

રાજ્યકક્ષાની શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધામાં શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય, પારડીના સપ્ત ઋષિકુમારો ઝળક્યા

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણના દરેક ઉદ્યોગોની ઈમારત ઉપર તિરંગો લહેરાશેઃ ડીઆઈએની બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment