September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રામ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમદાન કરવા પારડીથી આરએસએસ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળની ટીમ રવાના

રામ સેતુમાં ખિસકોલીએ કરેલ શ્રમદાન જેટલું શ્રમદાનનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: કસમ રામ કી ખાતે હે હમ મંદિર વહી બનાયેગે… વરસો પહેલા રામ ભક્‍તોએ ખાધેલી કસમ હવે પૂર્ણ થવા જઈ રહી છે. હજારો રામ ભક્‍તોના બલિદાનને લઈ બાબરી મસ્‍જિદની ખોટી ઓળખ મટી આજે રામલલાના જન્‍મસ્‍થળ સ્‍થાપિત થઈ ભવ્‍ય થી ભવ્‍ય રામ મંદિરની સ્‍થાપના થઈ રહી છે.
આ રામ મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા માટે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળના 20 જેટલા કાર્યકર્તાઓ પારડીથી રવાના થયા હતા. તેઓ અયોધ્‍યા ખાતે ચાલી રહેલ રામ મંદિર નિર્માણ કાર્યમાં તારીખ 27 માર્ચથી 2 એપ્રિલ સુધી રામસેતુ દરમ્‍યાન ખિસકોલીએ કરેલ શ્રમદાન જેવા શ્રમદાનનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત રામલીલા હમ આયેંગે ગિલહરી સા યોગદાન હમ ભી દેંગે ના સૂત્ર સાથે વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળ અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વલસાડ જિલ્લામાંથી 20 જેટલા કાર્યકર્તાઓપારડી ચાર રસ્‍તા મુકામે ભેગા થયા હતા અને જય શ્રી રામ ના નારા સાથે પવિત્ર અયોધ્‍યા ધામ જવા માટે રવાના થયા હતા. આ ટીમ અયોધ્‍યા જશે અને ત્‍યાં મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમ દાન કરશે.
મોટી સંખ્‍યામાં અન્‍ય કાર્યકર્તાઓ ભેગા થઈ અયોધ્‍યા જઈ રહેલા આ તમામ કાર્યકર્તાઓનું સન્‍માન કર્યું હતું અને શ્રીરામ મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા બદલ શુભેચ્‍છાઓ આપી હતી.

Related posts

વલસાડમાં પત્નીની ગેરહાજરીમાં પતિ પરસ્ત્રીને ઘરમાં લાવતા પત્નીએ બહારથી દરવાજો બંધ કરી અભયમને મદદે બોલાવી

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠક ઉપર 7 ઉમેદવારો વચ્‍ચે જામનારો જંગઃ ભાજપ-કોંગ્રેસ અને નવસર્જન પાર્ટી સાથે અન્‍ય 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીની મત ગણતરી કરાડ પોલિટેક્‍નિક કોલેજ ખાતે નિર્ધારિત 04 જૂને થશે

vartmanpravah

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

Leave a Comment