રામ સેતુમાં ખિસકોલીએ કરેલ શ્રમદાન જેટલું શ્રમદાનનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.28: કસમ રામ કી ખાતે હે હમ મંદિર વહી બનાયેગે… વરસો પહેલા રામ ભક્તોએ ખાધેલી કસમ હવે પૂર્ણ થવા જઈ રહી છે. હજારો રામ ભક્તોના બલિદાનને લઈ બાબરી મસ્જિદની ખોટી ઓળખ મટી આજે રામલલાના જન્મસ્થળ સ્થાપિત થઈ ભવ્ય થી ભવ્ય રામ મંદિરની સ્થાપના થઈ રહી છે.
આ રામ મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના 20 જેટલા કાર્યકર્તાઓ પારડીથી રવાના થયા હતા. તેઓ અયોધ્યા ખાતે ચાલી રહેલ રામ મંદિર નિર્માણ કાર્યમાં તારીખ 27 માર્ચથી 2 એપ્રિલ સુધી રામસેતુ દરમ્યાન ખિસકોલીએ કરેલ શ્રમદાન જેવા શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત રામલીલા હમ આયેંગે ગિલહરી સા યોગદાન હમ ભી દેંગે ના સૂત્ર સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વલસાડ જિલ્લામાંથી 20 જેટલા કાર્યકર્તાઓપારડી ચાર રસ્તા મુકામે ભેગા થયા હતા અને જય શ્રી રામ ના નારા સાથે પવિત્ર અયોધ્યા ધામ જવા માટે રવાના થયા હતા. આ ટીમ અયોધ્યા જશે અને ત્યાં મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમ દાન કરશે.
મોટી સંખ્યામાં અન્ય કાર્યકર્તાઓ ભેગા થઈ અયોધ્યા જઈ રહેલા આ તમામ કાર્યકર્તાઓનું સન્માન કર્યું હતું અને શ્રીરામ મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા બદલ શુભેચ્છાઓ આપી હતી.