March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્‍ડિયાએ કલેક્‍ટર નોટિફિકેશન બાદ ફાટક બંધ કરી દીધું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ઉદવાડા સહિત ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રેલવે ફાટક હાઈવે કનેક્‍ટીવીટી માટે ઉપયોગી હતું પરંતુ આ ફાટક પરમેન્‍ટલી બંધ કરવાનો આદેશ જાહેર થઈ ચૂક્‍યો હોવાથી ઉદવાડા ફાટક કાયમ માટે રેલવેએ બંધ કરી દીધું.
ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્‍ડિયા દ્વારા ફેટ કોરિડોરનું કામકાજ પુર ઝડપથી આગળ ધપી રહ્યું છે તે માટે એક વધારાની રેલવે ટ્રેક પણ બીછાવાઈ રહી છે તેઉપલક્ષમાં વલસાડ જિલ્લામાં કાર્યરત નવા આરઓબી બનાવવાની પુરઝડપે કામગીરી ચાલી રહી છે. ટૂંકમાં ફેડ કોરિડોરની તૈયારીઓના ભાગ રૂપે ઉદવાડા ફાટક પરમેન્‍ટલી બંધ કરી દેવાઈ છે. ડેડીકેટેડ પેટ કોરિડોર ઓફ ઈન્‍ડિયાએ કલેક્‍ટરના જાહેરનામા મુજબ તાત્‍કાલિક અસરથી ફાટક બંધ કરી દેવાયું છે તેથી ઉદવાડા તરફથી હાઈવે ઉપર આવતા વાહનોની કનેક્‍ટીવીટી અટકી ગઈ છે. તેથી વાહન ચાલકોએ ફરજીયાત મોતીવાડા અથવા બગવાડા આરઓબીથી અવર જવર કરવી પડશે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસન ઊર્જા મંત્રાલયના આદેશનું પાલન કરશે : ટોરેન્‍ટ પાવરને ન્‍બ્‍ત્‍ સોંપવાની તૈયારી

vartmanpravah

કપરાડા તાલુકામાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી અને લીગલ સર્વિસીસ કમિટી દ્વારા આયોજીત રક્‍તદાન શિબિરમાં 45 યુનિટ એકત્ર થયું

vartmanpravah

વલસાડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત માનસિક સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કુલ સલવાવમાં કોમ્‍પ્‍યુટર લેબ અને સ્‍માર્ટ બોર્ડનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

દાનહના અંતરિયાળ ગામડાંઓના લોકો પાણી માટે નદી, ખનકી, ટેન્‍કરના ભરોસે

vartmanpravah

Leave a Comment