January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્‍ડિયાએ કલેક્‍ટર નોટિફિકેશન બાદ ફાટક બંધ કરી દીધું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ઉદવાડા સહિત ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રેલવે ફાટક હાઈવે કનેક્‍ટીવીટી માટે ઉપયોગી હતું પરંતુ આ ફાટક પરમેન્‍ટલી બંધ કરવાનો આદેશ જાહેર થઈ ચૂક્‍યો હોવાથી ઉદવાડા ફાટક કાયમ માટે રેલવેએ બંધ કરી દીધું.
ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્‍ડિયા દ્વારા ફેટ કોરિડોરનું કામકાજ પુર ઝડપથી આગળ ધપી રહ્યું છે તે માટે એક વધારાની રેલવે ટ્રેક પણ બીછાવાઈ રહી છે તેઉપલક્ષમાં વલસાડ જિલ્લામાં કાર્યરત નવા આરઓબી બનાવવાની પુરઝડપે કામગીરી ચાલી રહી છે. ટૂંકમાં ફેડ કોરિડોરની તૈયારીઓના ભાગ રૂપે ઉદવાડા ફાટક પરમેન્‍ટલી બંધ કરી દેવાઈ છે. ડેડીકેટેડ પેટ કોરિડોર ઓફ ઈન્‍ડિયાએ કલેક્‍ટરના જાહેરનામા મુજબ તાત્‍કાલિક અસરથી ફાટક બંધ કરી દેવાયું છે તેથી ઉદવાડા તરફથી હાઈવે ઉપર આવતા વાહનોની કનેક્‍ટીવીટી અટકી ગઈ છે. તેથી વાહન ચાલકોએ ફરજીયાત મોતીવાડા અથવા બગવાડા આરઓબીથી અવર જવર કરવી પડશે.

Related posts

પ્રશાસક તરીકે 7મા વર્ષના પ્રવેશ ટાણે સંઘપ્રદેશના સાચા અર્થમાં ભાગ્‍યવિધાતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ‘‘કૃષ્‍ણ સુદામા ચરિત્ર”નું કરાયેલું વર્ણન

vartmanpravah

દાનહ-નરોલીની કંપનીના રૂમમાં કર્મચારીને એટેક આવતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નીટ યુ.જી. આધારિત મેડિકલ કોર્સની સીટ માટે એડમિશન અને કાઉન્‍સિલિંગ પ્રક્રિયાનો 14 ઓગસ્‍ટથી પ્રારંભ

vartmanpravah

દાનહ પોલીસે ઘરફોડ ચોરીના ચાર રીઢા આરોપીઓની કરી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લાના વહીવટી કેન્‍દ્રના સહયોગથી જે.પી.પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં 36 માં નેશનલ ગેમ્‍સના ઓવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

Leave a Comment