September 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્‍ડિયાએ કલેક્‍ટર નોટિફિકેશન બાદ ફાટક બંધ કરી દીધું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ઉદવાડા સહિત ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રેલવે ફાટક હાઈવે કનેક્‍ટીવીટી માટે ઉપયોગી હતું પરંતુ આ ફાટક પરમેન્‍ટલી બંધ કરવાનો આદેશ જાહેર થઈ ચૂક્‍યો હોવાથી ઉદવાડા ફાટક કાયમ માટે રેલવેએ બંધ કરી દીધું.
ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્‍ડિયા દ્વારા ફેટ કોરિડોરનું કામકાજ પુર ઝડપથી આગળ ધપી રહ્યું છે તે માટે એક વધારાની રેલવે ટ્રેક પણ બીછાવાઈ રહી છે તેઉપલક્ષમાં વલસાડ જિલ્લામાં કાર્યરત નવા આરઓબી બનાવવાની પુરઝડપે કામગીરી ચાલી રહી છે. ટૂંકમાં ફેડ કોરિડોરની તૈયારીઓના ભાગ રૂપે ઉદવાડા ફાટક પરમેન્‍ટલી બંધ કરી દેવાઈ છે. ડેડીકેટેડ પેટ કોરિડોર ઓફ ઈન્‍ડિયાએ કલેક્‍ટરના જાહેરનામા મુજબ તાત્‍કાલિક અસરથી ફાટક બંધ કરી દેવાયું છે તેથી ઉદવાડા તરફથી હાઈવે ઉપર આવતા વાહનોની કનેક્‍ટીવીટી અટકી ગઈ છે. તેથી વાહન ચાલકોએ ફરજીયાત મોતીવાડા અથવા બગવાડા આરઓબીથી અવર જવર કરવી પડશે.

Related posts

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશીથી દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં વિકાસના વિશ્વાસનો જયઘોષ

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

સેટલમેન્‍ટ અથવા રેસિડેન્‍શિયલ ઝોનમાં દમણ જિલ્લામાં હવે પાંચ ગુંઠા સુધીની જગ્‍યામાં પોતાનું ઘર બનાવવા એન.એ. અને પ્‍લાન પાસ કરવામાંથી મુક્‍તિનો જિલ્લા પ્રશાસને કરેલો આદેશ

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ ભિલાડ દ્વારા શિક્ષકદિન નિમિત્તે આચાર્યો અને શિક્ષકોનું સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગૌચરણની જગ્‍યા બચાવવા અને જમીનમાંથી માટી ખનન અટકાવવા ખાનવેલ આરડીસીને રજૂઆત

vartmanpravah

Leave a Comment