April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

રામ મંદિરોમાં પૂજા-અર્ચના કરી ભક્‍તો ભક્‍તિમાં લીન બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.30: સરીગામ, હિન્‍દુ ધર્મના આજના રામનવમીના પવિત્ર દિવસે સરીગામ અને ભીલાડ સહિત સમગ્ર ઉમરગામ તાલુકામાં ઠેર-ઠેર રામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમજ રામ મંદિરોમાં આરતી ભજનો સાથે પૂજા અર્ચના કરી સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું.
ભીલાડ અને સરીગામના હિન્‍દુ સંગઠન ભાઈઓએ ભવ્‍ય અને વિરાટ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. યાત્રાનો પ્રારંભ ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરની હાજરી સાથે ભીલાડ પ્‍લાઝાથી સાંજના ચાર કલાકના સમયે કરવામાંઆવ્‍યો હતો. આ પગપાળા શોભાયાત્રા ડીજેના તાલે અને ઢોલ તાસાના વાજિંત્રો તેમજ જયશ્રી રામના ગગનચુંબી નારા સાથે ગાજતે વાજતે સરીગામમાં પ્રવેશી હતી જ્‍યાં રામ મંદિરમાં આરતી કરી સરીગામ ત્રણ રસ્‍તા ખાતે સમાપન કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન મુસ્‍લિમ આગેવાનોએ રામ ભક્‍તોને શરબત અને પાણી પીવડાવી કોમી એકતાનું દ્રષ્ટાંત રજૂ કર્યું હતું.

સરીગામ ભાનુવિલા સોસાયટીમાં મહિલાઓએ મહાપ્રસાદના આયોજન સાથે આરતી અને ભજન સંધ્‍યા કરી ભક્‍તિમય બનાવેલું વાતાવરણ

આજના રામ નવમી ના પવિત્ર દિન રામ મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેમાં સરીગામ ભાનુવિલા ખાતે રામ મંદિરમાં સોસાયટીની બહેનોએ મહાપ્રસાદના આયોજન સાથે સમગ્ર દિવસ દરમિયાન ભક્‍તિના કાર્યક્રમો કરી સમગ્ર વાતાવરણને ભક્‍તિમય બનાવ્‍યું હતું.

Related posts

વલસાડથી પારડી પો.સ્‍ટે.માં ફરજ પર જવા નિકળેલ કોન્‍સ્‍ટેબલની બાઈકને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્રમાં જેઈઆરસી દ્વારા થયેલી લોક સુનાવણી

vartmanpravah

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં મેડી મિત્રા એનજીઓ દ્વારા કેન્‍સર અવેરનેસ અને અર્લી ડિટેકશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય:  ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા

vartmanpravah

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

Leave a Comment