December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

દર વર્ષે ચૈત્ર માસની ત્રયોદશીની 13મીએ ભગવાન મહાવીરની જન્‍મ જયંતિ ભારતવર્ષમાં ઉજવાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી શહેરમાં મંગળવારે ભગવાન મહાવીરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ હતી. જૈન ધર્મના તમામ ફિરકાઓ દ્વારા ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરના વિવિધ રાજમાર્ગોમાં ફરી યાત્રા દેરાસર પહોંચી હતી.
દર વર્ષે ચૈતાર માસની ત્રયોદશી શુકલ પક્ષની 13 (તેરસ)ના દિવસે ભારતવર્ષમાં જૈન ધર્મના સ્‍થાપક ભગવાન મહાવીરનો જન્‍મ દિવસની અતિ આસ્‍થા સાથે ધામ-ધૂમથી જૈનો ઉજવણી કરે છે તે અંતર્ગત આજે વાપીમાં તમામ જૈન ફિરકાઓ દ્વારા ભગવાન મહાવીરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી કરી હતી. ઉજવણીમાં કલાત્‍મક રથ, ઘોડા, પાલખીઓ સાથે સેંકડો જૈન ભાઈ-બહેનો દ્વારા શૌભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ, ત્રાસા, બેન્‍ડવાજાના રાજમાર્ગોમાં ફરીને જૈન દેરાસર પરત પહોંચીહતી. વાપીમાં જૈન ધર્મના તમામ તહેવારો અતિ ઉત્‍સાહ અને આસ્‍થા સાથે ઉજવાય છે તે રીતે આજે કરૂણામૂર્તિ મહાવીર ભગવાનના જન્‍મ દિનની પણ ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

દાનહ વન્‍યજીવ અભ્‍યારણ જંગલ અતિક્રમણ બાબતે કોર્ટ દ્વારા ચુકાદો: જંગલની જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરનાર ધાકલ તુમણાને રૂ.૨૦૦૦ અથવા બે મહિનાની સખ્ત કેદ

vartmanpravah

Leave a Comment