March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વ.નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ચણોદમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથા અને લોકડાયરામાં મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપીમાં સ્‍વ.નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે 30મી માર્ચથી 05 એપ્રિલ સુધી શ્રીમદ્‌ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે.
મૂળ કચ્‍છના નાગ્રેચાના વતની પરંતુ વાપીને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉદ્યોગપતિ અને જાડેજા પરિવારના સ્‍વ.નિર્મળસિંહ મમુભા જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર તરફથી વાપીના ચણોદ ખાતે આવેલ પ્રણવ પેપર મીલના પ્રાગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે દરમિયાન તારીખ 30-03-2023 ના રોજ વાપીના મહાવીર નગર ખાતેથી પોથી યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્‍યામાં મહિલાઓએ કળશ લઈ ઉપસ્‍થિત રહી હતી અને બપોરે ત્રણ ત્રીસ કલાકે ઉપસ્‍થિત રહેલા મહાનુભૂવો તથા સંતોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કથા અને શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આજે તારીખ 02-04-2023 ને રવિવારના રોજ સાંજે છત્રીસ કલાકે શ્રી રામ જન્‍મ તેમજ શ્રી નંદ મહોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં ભાગવત કથાના પ્રસંગો સાંભળવા માટે ઉપસ્‍થિત રહ્યા હતા.
તેમજ રાત્રે 9:30 કલાકે લોક ડાયરા અને વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતુ જેમાં જાણીતા કલાકારો ઉપસ્‍થિતરહી લોક ડાયરો કરવામાં આવે છે. સમગ્ર કથાનું આયોજન સ્‍વર્ગસ્‍થ શ્રી નિર્મળસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Related posts

વલસાડના ઓવાડા અને કેવાડા ગામમાં એક જ રાતમાં દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કરતા ભયનો માહોલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

પલસાણામાં 20 વર્ષીય યુવતીએ ચીકુના ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દેવઉઠી એકાદશી નિમિત્તે સેલવાસના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હાટડી દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

vartmanpravah

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment