January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વ.નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ચણોદમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથા અને લોકડાયરામાં મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપીમાં સ્‍વ.નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે 30મી માર્ચથી 05 એપ્રિલ સુધી શ્રીમદ્‌ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે.
મૂળ કચ્‍છના નાગ્રેચાના વતની પરંતુ વાપીને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉદ્યોગપતિ અને જાડેજા પરિવારના સ્‍વ.નિર્મળસિંહ મમુભા જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર તરફથી વાપીના ચણોદ ખાતે આવેલ પ્રણવ પેપર મીલના પ્રાગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે દરમિયાન તારીખ 30-03-2023 ના રોજ વાપીના મહાવીર નગર ખાતેથી પોથી યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્‍યામાં મહિલાઓએ કળશ લઈ ઉપસ્‍થિત રહી હતી અને બપોરે ત્રણ ત્રીસ કલાકે ઉપસ્‍થિત રહેલા મહાનુભૂવો તથા સંતોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કથા અને શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આજે તારીખ 02-04-2023 ને રવિવારના રોજ સાંજે છત્રીસ કલાકે શ્રી રામ જન્‍મ તેમજ શ્રી નંદ મહોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં ભાગવત કથાના પ્રસંગો સાંભળવા માટે ઉપસ્‍થિત રહ્યા હતા.
તેમજ રાત્રે 9:30 કલાકે લોક ડાયરા અને વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતુ જેમાં જાણીતા કલાકારો ઉપસ્‍થિતરહી લોક ડાયરો કરવામાં આવે છે. સમગ્ર કથાનું આયોજન સ્‍વર્ગસ્‍થ શ્રી નિર્મળસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Related posts

ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે

vartmanpravah

પીએમ મોદીએ આઇકોનિક વીકમાં જન સમર્થ પોર્ટલ લોન્‍ચ કર્યું: દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી જીવંત પ્રસારણની વ્‍યવસ્‍થા

vartmanpravah

પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવની ઉજવણી

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભા વિકાસના વિશ્વાસ અને પારદર્શક પ્રશાસનના ભરોસા સાથે સંપન્ન

vartmanpravah

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

લ્‍યો કરો વાત..! વાહ એનસીએલટી..! રૂા.250 કરોડની મિલકતનું મૂલ્‍ય માત્ર રૂા.20-22 કરોડ જ આંક્‍યુ..!

vartmanpravah

Leave a Comment