December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

દર વર્ષે ચૈત્ર માસની ત્રયોદશીની 13મીએ ભગવાન મહાવીરની જન્‍મ જયંતિ ભારતવર્ષમાં ઉજવાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી શહેરમાં મંગળવારે ભગવાન મહાવીરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ હતી. જૈન ધર્મના તમામ ફિરકાઓ દ્વારા ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરના વિવિધ રાજમાર્ગોમાં ફરી યાત્રા દેરાસર પહોંચી હતી.
દર વર્ષે ચૈતાર માસની ત્રયોદશી શુકલ પક્ષની 13 (તેરસ)ના દિવસે ભારતવર્ષમાં જૈન ધર્મના સ્‍થાપક ભગવાન મહાવીરનો જન્‍મ દિવસની અતિ આસ્‍થા સાથે ધામ-ધૂમથી જૈનો ઉજવણી કરે છે તે અંતર્ગત આજે વાપીમાં તમામ જૈન ફિરકાઓ દ્વારા ભગવાન મહાવીરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી કરી હતી. ઉજવણીમાં કલાત્‍મક રથ, ઘોડા, પાલખીઓ સાથે સેંકડો જૈન ભાઈ-બહેનો દ્વારા શૌભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ, ત્રાસા, બેન્‍ડવાજાના રાજમાર્ગોમાં ફરીને જૈન દેરાસર પરત પહોંચીહતી. વાપીમાં જૈન ધર્મના તમામ તહેવારો અતિ ઉત્‍સાહ અને આસ્‍થા સાથે ઉજવાય છે તે રીતે આજે કરૂણામૂર્તિ મહાવીર ભગવાનના જન્‍મ દિનની પણ ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

દાનહઃ દૂધની મેઢા ઘાટ ઉપર કારચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં સર્જાયો ગોઝારો અકસ્‍માત

vartmanpravah

દિવાળીથી લાભ પાંચમ સુધી દમણ-દાનહમાં ઉમટેલો પ્રવાસીઓનો લોકમેળો

vartmanpravah

સુરતના તત્‍કાલીન ટી.પી.ઓ. કૈલાસ ભોયાની અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી.એ વલસાડમાં તપાસ હાથ ધરી

vartmanpravah

વાપી ચલા રોયલ લાઈફ સોસાયટીમાં નવનિર્માણ થયેલ શિવજી મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

vartmanpravah

Leave a Comment