દર વર્ષે ચૈત્ર માસની ત્રયોદશીની 13મીએ ભગવાન મહાવીરની જન્મ જયંતિ ભારતવર્ષમાં ઉજવાય છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વાપી શહેરમાં મંગળવારે ભગવાન મહાવીરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જૈન ધર્મના તમામ ફિરકાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરના વિવિધ રાજમાર્ગોમાં ફરી યાત્રા દેરાસર પહોંચી હતી.
દર વર્ષે ચૈતાર માસની ત્રયોદશી શુકલ પક્ષની 13 (તેરસ)ના દિવસે ભારતવર્ષમાં જૈન ધર્મના સ્થાપક ભગવાન મહાવીરનો જન્મ દિવસની અતિ આસ્થા સાથે ધામ-ધૂમથી જૈનો ઉજવણી કરે છે તે અંતર્ગત આજે વાપીમાં તમામ જૈન ફિરકાઓ દ્વારા ભગવાન મહાવીરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી. ઉજવણીમાં કલાત્મક રથ, ઘોડા, પાલખીઓ સાથે સેંકડો જૈન ભાઈ-બહેનો દ્વારા શૌભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ, ત્રાસા, બેન્ડવાજાના રાજમાર્ગોમાં ફરીને જૈન દેરાસર પરત પહોંચીહતી. વાપીમાં જૈન ધર્મના તમામ તહેવારો અતિ ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવાય છે તે રીતે આજે કરૂણામૂર્તિ મહાવીર ભગવાનના જન્મ દિનની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.