December 8, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘મિશન-2024′: દાનહ અને દમણ-દીવ ભાજપનું બૂથ સશક્‍તિકરણ ઉપર જોરઃ નવા ભાજપ પ્રભારી વિનોદ સોનકરે આપેલો વિજય મંત્ર

  • પ્રદેશની બંને સંસદીય બેઠકોની બૂથ સમિતિના મુદ્દે ચાલતી લાપરવાહી બંધ કરવા નવનિયુક્‍ત પ્રદેશ પ્રભારી વિનોદ સોનકરે તમામ પદાધિકારીઓને આપેલી કડક સૂચના

  • પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ બૂથ સમિતિનું યુદ્ધના સ્‍તરે થઈ રહેલું ગઠન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 17 : 2024ની લોકસભા ચૂંટણીમાં દાદરા નગર હવેલી બેઠક ઉપર વિજય મેળવવા અને દમણ-દીવ બેઠક મોટી માર્જીન સાથે જાળવી રાખવાની કવાયત નવનિયુક્‍ત પ્રભારી શ્રી વિનોદ સોનકર દ્વારા શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ને સંગઠન સાથે જોડી પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે ત્રણેય જિલ્લા અને બંને સંસદીય બેઠકના બૂથના સશક્‍તિકરણ ઉપર જોર આપ્‍યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બૂથના સશક્‍તિકરણ માટે મહત્‍વની બૂથ સમિતિઓની રચના અત્‍યાર સુધી નહીં કરાઈ હતી. જેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તમામ પદાધિકારીઓને કડક સૂચના આપી હતી. જેના સંદર્ભમાં અત્‍યાર સુધીદમણ-દીવના તમામ બૂથોની સમિતિ સંપન્ન થવા પામી છે જ્‍યારે દાદરા નગર હવેલીના મોટાભાગની બૂથ સમિતિની રચના અંતિમ ચરણમાં હોવાની માહિતી સાંપડી છે.
પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે કાર્યકર્તાઓને વિજયનો મંત્ર પણ સમજાવ્‍યો હતો, અને જૂથવાદથી દૂર રહી કમળના પ્રતિકને ઓળખી ભાજપ માટે સમર્પિત બની કામ કરવા સીધો સંદેશ આપ્‍યો હતો.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં પ્રદેશની બંને સંસદીય બેઠકોના બૂથના સશક્‍તિકરણનું કામ પૂર્ણતાના આરે પહોંચ્‍યું છે અને હવે મતદારો સાથે સીધો સંપર્ક કેળવવા ઉપર જોર આપવામાં આવી રહ્યું છે.

Related posts

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્ટ LAKSHYA 2K23માં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના ઇનોવેશન હબની ટીમ રોબો રેસ સ્પર્ધામાં વિજેતા

vartmanpravah

‘રાષ્ટ્રીય રક્ષા સંઘ’ દ્વારા તેના ચોથા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય સચિવ તરીકે આર.પી.રાયની નિયુક્‍તિ બાદ તેમણે વહીવટને સીધા પાટે લાવવાની કોશિષ કરી પરંતુ…

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સીધી રીતે જોડાયેલા દીવના લોકો

vartmanpravah

‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

Leave a Comment