Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘મિશન-2024′: દાનહ અને દમણ-દીવ ભાજપનું બૂથ સશક્‍તિકરણ ઉપર જોરઃ નવા ભાજપ પ્રભારી વિનોદ સોનકરે આપેલો વિજય મંત્ર

  • પ્રદેશની બંને સંસદીય બેઠકોની બૂથ સમિતિના મુદ્દે ચાલતી લાપરવાહી બંધ કરવા નવનિયુક્‍ત પ્રદેશ પ્રભારી વિનોદ સોનકરે તમામ પદાધિકારીઓને આપેલી કડક સૂચના

  • પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ બૂથ સમિતિનું યુદ્ધના સ્‍તરે થઈ રહેલું ગઠન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 17 : 2024ની લોકસભા ચૂંટણીમાં દાદરા નગર હવેલી બેઠક ઉપર વિજય મેળવવા અને દમણ-દીવ બેઠક મોટી માર્જીન સાથે જાળવી રાખવાની કવાયત નવનિયુક્‍ત પ્રભારી શ્રી વિનોદ સોનકર દ્વારા શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ને સંગઠન સાથે જોડી પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે ત્રણેય જિલ્લા અને બંને સંસદીય બેઠકના બૂથના સશક્‍તિકરણ ઉપર જોર આપ્‍યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બૂથના સશક્‍તિકરણ માટે મહત્‍વની બૂથ સમિતિઓની રચના અત્‍યાર સુધી નહીં કરાઈ હતી. જેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તમામ પદાધિકારીઓને કડક સૂચના આપી હતી. જેના સંદર્ભમાં અત્‍યાર સુધીદમણ-દીવના તમામ બૂથોની સમિતિ સંપન્ન થવા પામી છે જ્‍યારે દાદરા નગર હવેલીના મોટાભાગની બૂથ સમિતિની રચના અંતિમ ચરણમાં હોવાની માહિતી સાંપડી છે.
પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે કાર્યકર્તાઓને વિજયનો મંત્ર પણ સમજાવ્‍યો હતો, અને જૂથવાદથી દૂર રહી કમળના પ્રતિકને ઓળખી ભાજપ માટે સમર્પિત બની કામ કરવા સીધો સંદેશ આપ્‍યો હતો.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં પ્રદેશની બંને સંસદીય બેઠકોના બૂથના સશક્‍તિકરણનું કામ પૂર્ણતાના આરે પહોંચ્‍યું છે અને હવે મતદારો સાથે સીધો સંપર્ક કેળવવા ઉપર જોર આપવામાં આવી રહ્યું છે.

Related posts

દાદરા નગર હવેલી પોલીસે 10 જેટલા ગુનેગારોને હિસ્‍ટ્રીશીટર ઘોષિત કર્યા

vartmanpravah

ઝેનીથ ડોક્‍ટર હાઉસના ઓર્થોપેડિક સર્જન ડૉ.પાર્થ પંચાલનું નાઈજેરિયામાં આંતરરાષ્‍ટ્રીય સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

નિરંકારી ભક્‍તો છે ઉત્‍સાહિત, ફરી એક વાર યોજાશે માનવતાનો સમાગમ : 77માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

સમસ્‍ત સંઘપ્રદેશ મહિલા સશક્‍તિકરણના પર્યાય અને મહિલાઓના આદર્શ ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલને વધાવવા ઘેલુ બન્‍યું છે

vartmanpravah

Leave a Comment