October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

લીલાપોરની માહ્યાાવંશી પરિવારની પરિણીત મહિલાઓ વર્ષો બાદ એક મંચ ઉપર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ તાલુકાના લીલાપોર ગામની પરણીત દીકરીઓ વર્ષો બાદ એક મંચ ઉપર આવે તેવા આશયથી તા.25-12- 22 ના રોજ એક કાર્યક્રમ વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરનાનેજા હેઠળ પ્રથમ તોહ મિલન સમારોહ વલસાડ કોલેજ રોડ ઉપર આવેલ એમ સ્‍ક્‍વેર મોલમાં યોજાયો હતો. જેમાં 25 વર્ષથી લઈ 75 વર્ષ સુધીની મહિલાઓ, બાળકો, વડીલો ભેગા થયા હતા.
વલસાડ તાલુકાના ઔરંગા નદીના કિનારે વસેલું લીલાપોર ગામ કે જ્‍યાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા હોય અને અવર-જવર બંધ થઈ જતી હોય છે ત્‍યારે આજથી 70 વર્ષ અગાઉની પરિસ્‍થિતિની કલ્‍પના કરતા જ વિચારતા થઈ જવાય તેવી પરિસ્‍થિતિ વચ્‍ચે લીલાપોર ગામના કાંઠા ફેક્‍ટરી પાછળ રહેતાᅠમાહયાવંશી પરિવારે અભ્‍યાસ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે. આ ગામોમાં ડોક્‍ટર, એન્‍જિનિયર, એડવોકેટ, બેંક ક્ષેત્રે તેમજ ટેક્‍નિશિયનો તેમજ વિદેશમાં વસવાટ કરી ઉચ્‍ચ સિદ્ધિઓ હાંસલ કરી છે ત્‍યારે આ ગામની આશરે 70 થી વધુ જેટલી પરણીત દીકરીઓ ભેગી થઈ એક મંચ ઉપર આવી હતી જોકે ઉપસ્‍થિત રહેલ મહિલાઓનો ઉદ્દેશ એ હતો કે દરેક પોત પોતાના પરિવારમાં વ્‍યસ્‍ત બન્‍યા છે અને વર્ષો સુધી સુખ દુઃખમાં મળી શકતા નથી જેમાં કોરોના સમય દરમિયાન કેટલાકે પોતાના પરિવારમાં સ્‍વજનો ગુમાવ્‍યા છે ત્‍યારે હવે પછી આ ગામની મહિલાઓ દરેક મહિલાના સાસરે જશે અને જે કંઈ જરૂરિયાત હશે તો તેને આ બેનર હેઠળ મદદરૂપ બનશે તેટલું જ નહીં પરંતુ દર વર્ષે ગામનીતમામ દીકરીઓ ભેગી થશે જોકે કેટલીક દીકરીઓ એવી રહી છે કેમ જે પોતાના પિયર જઈ શકતી નથી અને જે દીકરીઓ એકબીજાને મળતા પોતાના પિયર આવી હોય તેવું અનુભવ્‍યું હતું ત્‍યારે આ સિલસિલો કાયમનો બની રહે એવી તમામ મહિલાઓએ આશા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

વાપી તાલુકા પંચાયતનાં એટીડીઓ ભરતભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન: સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશેઃ જીતેન્‍દ્ર ટંડેલ

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

આખા વર્ષ દરમિયાન લાખો પર્યટકોને સ્‍વર્ગનો અહેસાસ કરાવતા દાદરા નગર હવેલીના દૂધની ગામને મળ્‍યો ‘‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ” એવોર્ડ-2024

vartmanpravah

ઉમરગામ પાલિકાની જનતામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને

vartmanpravah

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ યુટી લેવલે કલા ઉત્‍સવ 2024-25 માં ભાગ લેવા સેલવાસ જવા રવાના

vartmanpravah

Leave a Comment