July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી ગુરૂકુલ વિદ્યાપીઠમાં સ્‍કાઉટ ગાઈડની કરાયેલી સ્‍થાપના

સ્‍કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓ તમને શિસ્‍તબદ્ધ અને સેવાલક્ષી બનાવશેઃ ગુરૂકુળના સ્‍થાપક અને આચાર્ય વિનય પાંડે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી રેન્‍જર લીડર સોનિયા સિંઘ, યંગ રોવર અનુરાગ સિંહ, મનીષ ઝા, સંયોગિતા સિંહ, આદર્શ સિંહ, પંકજ સોની, વિરેન પટેલ, રાકેશ તિવારી અને 20સ્‍કાઉટ ગાઈડની ઉપસ્‍થિતિમાં ગુરૂકુળ વિદ્યાપીઠમાં સ્‍કાઉટ ગાઈડની સ્‍થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના સભાખંડમાં શાળાના આચાર્ય શ્રી વિનય પાંડે સહિત તમામ શિક્ષકો અને 159 વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍કાઉટ ગાઈડની સ્‍થાપના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવી હતી.
આ પ્રસંગે રેન્‍જર લીડર સોનિયા સિંઘે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડતાં જણાવ્‍યું હતું કે, સ્‍કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓમાં દાદરા નગર હવેલી ભારત સ્‍કાઉટ ગાઈડ ઘણા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે તમામ બાળકોમાં શારીરિક, માનસિક અને નૈતિક રીતે વિકાસ પામે છે. આ અવસરે અનુરાગ સિંહ અને મનીષ ઝાએ જણાવ્‍યું હતું કે સ્‍કાઉટ ગાઈડ એ વિશ્વવ્‍યાપી સંસ્‍થા છે જેમાં યુવાઓને દેશ-વિદેશની સંસ્‍કૃતિ, ખાનપાન, વેશભૂષાનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડવામાં આવે છે.
આ દરમિયાન સ્‍કાઉટ ગાઈડના સ્‍થાપક લોર્ડ બેડન પોવેલ અને લેડી બેડન પોવેલની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી, સાથે તમામ રજીસ્‍ટર્ડ(નોંધાયેલ) સ્‍કાઉટ ગાઈડને સ્‍કાર્ફ પહેરાવીને પ્રતિજ્ઞા આપવામાં આવી હતી, ત્‍યારબાદ બાળકો દ્વારા રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્‍યા હતા. આ અવસરે શાળાના સંચાલક અને આચાર્ય શ્રી વિનયપાંડેએ તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે્‌ સ્‍કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓ દ્વારા શિસ્‍તબદ્ધ અને સેવાલક્ષી બનશે, તેમજ જિલ્લા, રાજ્‍ય, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે તમામ શિબિરોમાં ભાગ લઈ તેઓને ગૌરવ અપાવી રહ્યા છે. સાથે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અને સ્‍પર્ધાઓમાં ભાગ લઈ પોતાની સહભાગિતા આપે છે. આમાં તમામ પ્રકારના અભ્‍યાસ દરમિયાન દિશા, અંદાજ, પ્રાથમિક સારવાર, શિબિર, પ્રવાસ, રસોઈ, તાલીમનું જ્ઞાન આપવામાં આવે છે, જેના માટે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ અને દાનહ પ્રશાસનનો શ્રી વિનય પાંડેએ આભાર માન્‍યો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન પ્રતિમા તિવારી, ખુશ્‍બુ મિશ્રા અને મંજુ દુબેએ સંયુક્‍ત રીતે કર્યું હતું.

Related posts

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વિદ્યાર્થી સંઘના નેતા વિશાલ પટેલ અને વિશ્વા પટેલ દ્વારા નાની દમણના દિલીપનગર ગ્રાઉન્‍ડમાં સ્‍ટુડન્‍ટ પ્રીમિયર લીગનું કરાયેલું આયોજન

vartmanpravah

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

vartmanpravah

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

vartmanpravah

Leave a Comment