January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લોકાભિમુખ પહેલ આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘પ્રશાસન ગાંવ કી ઓર’ : મગરવાડા પંચાયત ઘર ખાતે મોટી દમણની તમામ ચારેય ગ્રામ પંચાયતના લોકો માટે યોજાનારી રેવન્‍યુ શિબિર

ગુરુવારે ભીમપોર, કડૈયા, મરવડ અને દુણેઠા ગ્રામ પંચાયત માટે ભીમપોર પંચાયત ઘર તથા શુક્રવારે કચીગામ, વરકુંડ, દાભેલ, આટિયાવાડ અને સોમનાથ ગ્રામ પંચાયત માટે કચીગામપંચાયત ઘર ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.ર1
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા વિવિધ સુવિધાઓ ઘર આંગણે કે મોબાઈલ ફોનના ટેરવે મળે એવી વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવી છે. પ્રદેશના લોકોને સરકારી કાર્યાલયનો ધક્કો ખાવો નહી પડે અને તેમના સમય તથા પૈસાની પણ બચત થાય એવા ઉમદા હેતુથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી જિલ્લા પ્રશાસન દ્વારા પ્રદેશમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કડીમાં દમણ જિલ્લા પ્રશાસન દ્વારા તા.ર1મીથી ર4મી ડિસેમ્‍બર દરમિયાન ઉજવાય રહેલા ‘સુશાસન સપ્તાહ’ અને ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત આવતી કાલ તા.રરમી ડિસેમ્‍બરથી ર4મી ડિસેમ્‍બર સુધી વિવિધ પંચાયતોમાં પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.
‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામવાસીઓને સ્‍થળ ઉપર જ વારસાઈ માટે આવેદન, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માટે આવેદન, કાસ્‍ટ અને ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે આવેદન, આધારકાર્ડ, જમીનની માપણી, નક્‍શાની નકલ વગેરે માટે સ્‍થળ ઉપર અરજી કરી શકશે. જેના કારણે ગ્રામવાસીઓને કલેક્‍ટર કાર્યાલય સુધી જવાની જગ્‍યાએ પંચાયતોના ગ્રામવાસીઓ ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમના સ્‍થળેપહોંચી પોતાની જરૂરીયાત સંતોષી શકશે.
આવતી કાલ તા.રરમી ડિસેમ્‍બરના રોજ સવારે 10 :00 વાગ્‍યાથી સાંજના પઃ00 વાગ્‍યા સુધી મગરવાડા પંચાયત ઘર ખાતે મગરવાડા, પટલારા, દમણવાડા અને પરિયારી ગ્રામ પંચાયતના લોકો માટે પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાશે. જ્‍યારે 23મી ડિસેમ્‍બરે ભીમપોર, કડૈયા, મરવડ અને દુણેઠા ગ્રામ પંચાયત માટે ભીમપોર પંચાયત ઘર તથા 24મી ડિસેમ્‍બરે કચીગામ, વરકુંડ, દાભેલ, આટિયાવાડ અને સોમનાથ ગ્રામ પંચાયત માટે કચીગામ પંચાયત ઘર ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા નાયબ કલેક્‍ટર (હે.ક્‍વા) શ્રી મોહિત મિશ્રાએ ગ્રામ્‍ય વિસ્‍તારની જનતાને અપીલ કરી છે.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

vartmanpravah

વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ : ટુક સમયમાં બ્રિજ કાર્યરત થશે

vartmanpravah

ટ્રાફિક નિયમોના પાલનને લઈ નવો ચીલો ચિતરતી પારડી મહિલા પોલીસ

vartmanpravah

ખુડવેલમાં બાઈક પાછળ બેસેલ યુવાન પટકાતા પાછળથી આવતી બાઈક ચઢી જતા મોત

vartmanpravah

દાનહના 71મા મુક્‍તિ દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો: પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના હસ્‍તે કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા કેરિયર પસંદગીના સંદર્ભમાં આયોજીત કાઉન્‍સેલીંગ સેમિનાર એક અભિનવ પ્રયોગઃ આશિષ મોહન

vartmanpravah

Leave a Comment