Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

ખાસ કરીને આફૂસ અને જમાદાર કેરીના પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસીનો ઉપદ્વવ વધુ જોવા મળે છે

સવારે ઠંડા પ્રહરમાં અથવા તો સાંજે 4 વાગ્‍યા પછીકેરી તોડવા સૂચન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: આંબાપાક વલસાડ જિલ્લાનો મુખ્ય ફળપાક છે. આંબાવાડીમાં આગામી મે-જુન માસમાં કેરીપાકનું ઉત્પાદન મળશે. આંબાની આફૂસ અને જમાદાર જાતોમાં ફળ કપાસી (સ્પોન્જીટીસ્યુ)ને કારણે આંબાવાડીમાં અલગ અલગ પ્રમાણમાં નુક્શાન થાય છે. આ ઉપદ્રવ આફૂસ અને જમાદાર જાતની કેરીઓમાં વધારે જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમી જમીન પરથી પરાવર્તિત થતી ગરમી – લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન થાય છે. નુકસાનીવાળો ભાગ બરાબર પાકતો નથી તેને ફળ કપાસી તરીકે જાણવામાં આવે છે. આવા ફળો બહારથી પારખી શકાતા નથી. કેરી ફળ કપાસી (સ્પોન્જીટીસ્યુ)થી કેરીપાકને નુક્શાન થતુ અટકાવવા માટે સંકલિત વ્યવસ્થાપન કરવા માટે ખેડૂતોએ આફૂસ જાતના ફળો લીલા પણ પરિપક્વ હોય તેવા (૮૦% પરીપક્વતા) ફળ તોડવામાં આવે તો ફળ કપાસીનો ઉપદ્રવ ઓછો રહે છે. પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસી વધુ જોવા મળે છે. આંબાવાડીમાં ખુલ્લી જગ્યામાં ડાંગર કે અન્ય સૂકા ઘાસચારાનું પરાળ કે પાદડાંનુ આવરણ પાથરવાથી જમીન વધુ ગરમ થતી નથી અને કપાસીનું પ્રમાણ ઘટે છે. ઉતારેલા ફળોને સીધા તાપમાં ન રાખતા છાંયડામાં ઢાંકીને રાખવા જોઈએ. સવારના ઠંડા પહોરે કે સાંજના ચાર વાગ્યા પછી કેરી તોડવી જોઈએ એમ વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકે અખબાર યાદીમાં જણાવ્યું છે.

Related posts

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પરિયા પંચાયત ઓફિસને ફર્નિચર માટે એક લાખ ગ્રાન્‍ટની ફાળવણી

vartmanpravah

લોકોમાં જાગેલી આશા અને આકાંક્ષા નવનિયુક્‍ત અધ્‍યક્ષ ચંચળબેન પટેલ દમણ જિલ્લા કોળી પટેલ સમાજને અસરકારક અને પ્રભાવશાળી નેતૃત્‍વ પુરૂં પાડશે

vartmanpravah

વાપીની કંપનીમાં નોકરી કરતા વલસાડ માલવણના એન્‍જિનિયર યુવાને ઘરમાં કામ કરતો રોબોટ બનાવ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે યુ.પી.ના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍ય નાથ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

તા.૧૫મી જાન્‍યુઆરીએ વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment