Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના હરણગામમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં વેઠ ઉતારાતી હોવાની ઉઠેલી ફરિયાદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.10: ચીખલી તાલુકાના હરણગામમાં ધૂળ વાળી રેતીના ઉપયોગ સાથે આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં નકરી વેઠ ઉતારી તકલાદી કામ કરાતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.


આરોગ્‍ય વિભાગની પીઆયુ શાખા દ્વારા રૂા.27.99 લાખ રૂપિયાના ખર્ચે હરણગામ સબ સેન્‍ટરનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં ચોખ્‍ખી ગુણવત્તાયુક્‍ત રેતીના સ્‍થાને ધૂળવાળી રેતીનો ઉપયોગ કરવામાં આવતા આ અંગે જાગૃત નાગરિક દ્વારા કોન્‍ટ્રાક્‍ટરનું ધ્‍યાન દોરી રેતી બદલવા માટે જણાવાયું હતું. પરંતુ આ ગુણવત્તા વિહીન રેતીના ઉપયોગથી બાંધકામ કરાતા કામની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે. કોન્‍ક્રીટમાં પણ ધૂળવાળી રેતીનો ઉપયોગ કરાતા કોન્‍ક્રીટની મજબૂતાઈ પણ નબળી થતી હોય છે. પૂરતા સૂપરવીઝનના અભાવે વચ્‍ચે ગુણવત્તા વિહીન માલ સામાનના ઉપયોગથી કરાતા બાંધકામમાં સરકારના લાખો રૂપિયાના એંધાણ બાદ પણ લોકોને સુવિધા મળતી નથી. આ રીતે તકલાદી કામો થતા ટૂંકા ગાળામાં જ દીવાલોમાં સ્‍લેબના પ્‍લાસ્‍ટરમાં મસમોટી તિરાડો પડવા સાથે પોપડા ખરી પડતા હોય છે. ત્‍યારે પીઆઇયુના જવાબદારઈજનેરો દ્વારા ગુણવત્તા યુક્‍ત માલ સામાનનો ઉપયોગ થાય તેની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. જો કે સરકારી ગ્રાન્‍ટમાંથી મલાઈ ખાવા ટેવાયેલા લાંચિયા અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરાતા ઈજારદારોને ભ્રષ્ટાચાર આચરવાનું મોકળું મેદાન મળી જતું હોય છે.
હરણગામમાં હાલે બીજી રેતી નાંખવામાં આવી છે. પરંતુ હમણાં લિન્‍ટલ લેવલ સુધીનું બાંધકામ થઈ ગયું છે અને તેમાં ધૂળવાળી રેતીનો જ ઉપયોગ કરાયો છે. ત્‍યારે આ બાંધકામ કેટલું ટકાઉ અને ગુણવત્તા યુક્‍ત હશે તે સમજી શકાય તેમ છે. ત્‍યારે આ બાબતે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાઈ તે જરૂરી છે.
ટીએચઓ ડો.અનિલભાઈના જણાવ્‍યાનુસાર હરણગામે સબ સેન્‍ટરના બાંધકામના સ્‍થળની મુલાકાત લેતા રેતી ધૂળવાળી ખરાબ જણાતા આ અંગે પીઆઈયુના અધિકારીને જાણ કરવામાં આવેલ છે.

Related posts

રાજપૂત સમાજ મેરેજ બ્‍યુરો કોસંબા અને આદિત્‍ય એનજીઓ નરોલીના સહયોગથી રાજપૂત સમાજના અપરણિત પાત્રો અને છૂટાછેડા થયેલા હોય તેવા પાત્રો માટે રવિવારે નરોલી પંચાયત હોલ ખાતે યોજાનારો પરિચય મેળો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

પારડીની પરિયા પીએચસીમાં મેડિકલ સાધનો અને સિવિલ વર્ક માટે રૂ.12.61 લાખના એમઓયુ કરાયા

vartmanpravah

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

Leave a Comment