January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્‍નેહ મિલન સમારોહ યોજાશે

સલવાવ ગુરુકુળમાં તા.13 નવેમ્‍બર રવિવારે યોજાનારા સમારોહમાં મોટી સંખ્‍યામાં ભુદેવ પરિવારો ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી વિસ્‍તારમાં વસતા ભુદેવો દ્વારા સ્‍થાપિત સંચાલિત શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા આગામી રવિવાર તા.13 નવેમ્‍બરના રોજ પરિવારનો નવા વર્ષથી ઉજવણી અંગે સ્‍નેહ મિલન સમારોહ યોજાનાર છે. સલવાવ સ્‍વામિનારાયણ ગુરુકુળમાં સાંજના 5:00 કલાકે પરિવાર સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાનાર છે.
શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ પ્રમુખ મિતિશભાઈ ત્રિવેદી અને મંત્રી ઘનશ્‍યામભાઈ પંચોલીના જમાવ્‍યા અનુસાર નવા વર્ષના સ્‍નેહ મિલન સમારોહમાં ભાગ લેવા ઈચ્‍છતા પરિવારોએ તા.10 નવેમ્‍બર પહેલા મેસેજ, ફોન કે વોટ્‍સએપથી જણાવવા વિનંતી કરાઈ છે. તેથી બ્રહ્મ ભોજન માટે સંખ્‍યા આયોજન માટે જાણી શકાય. કાર્યક્રમમાં ઉતરતા કલાકારો, ગીત, ભજન, સ્‍તૃતિ અને વાદ્ય કે અન્‍ય કોઈ કૃતિ કરતા રજૂ કરવા માટેનું આયોજન છે તેથી નામ, ઉંમર, સમય મર્યાદા અંગે તા.10 પહેલાં જણાવી ખાતરી કરી લેવાની વિનંતી કરાઈ છે. કાર્યક્રમમાં કોરોના નિયમોનું પાલન કરવાનું રહેશે.

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત”જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”માં ભાગ લેવા બાબત

vartmanpravah

કરોડોનો ટોલ ટેક્‍સ ભરો અને ખાડામાં પડો એવી સ્‍થિતિ છે ચીખલીના હોન્‍ડ ગામના હાઈવે પુલની

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

વાપીનું ગૌરવ: આરજીયુએચએસ – કર્ણાટક યુનિવર્સિટીમાં ડૉ.અદિતિ ગાંધીએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

હરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્‍તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે

vartmanpravah

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

Leave a Comment