Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

બલીઠા દાંડીવાડમાં ચલા સ્‍વામિનારાયણ સ્‍કૂલ બસની અડફેટમાં બે ભાઈઓના કમકમાટી ભર્યા મોત : કાર અકસ્‍માતમાં સલવાવની મહિલાનું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આજે બુધવારનો દિવસ વાપીમાં ગોઝારો સાબિત થયો હતો. બે અલગ અલગ અકસ્‍માતના બનાવમાં ત્રણ જીંદગી છીનવાઈ ગઈ હતી. ચલા સ્‍વામિનારાયણ ગુરુકૂળની સ્‍કૂલ બસની અડફેટમાં બાઈક આવી જતા બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્‍યા હતા. જ્‍યારે બીજા બનાવમાં હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા કાર ચાલકે ટક્કર મારી દેતા ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું.
બે અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ આજે બુધવારે બપોરે બલીઠા દાંડીવાડ પાસે બલીઠામાં રહેતા રણછોડભાઈ ભરવાડના પૂત્રો વિશાલ અને જય બાઈક નં.જીજે 15 એસએસ 3241 ઉપર સવાર થઈ વાપી ખરીદી કરવા જઈ રહ્યા હતા ત્‍યારે માર્ગ ઉપર પુરપાટ ઝડપે જઈ રહેલી ચલા સ્‍વામિનારાયણની સ્‍કૂલ બસ નં.જીજે 15 એટી 8315ના પાછલા વ્‍હિલમાં બાઈક આવી જતા બન્ને ભાઈઓનું સ્‍થળ ઉપર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. ઘટનાની જાણકારી બાદ આજુબાજુનાલોકોએ વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. જ્‍યારે અકસ્‍માતનો બીજો બનાવ બુધવારે સવારે બલીઠા હાઈવે ટોયોટો શો રૂમની નજીક સલવાવના 35 વર્ષિય પાર્વતીબેન પારસભાઈ નામની મહિલા હાઈવે ક્રોસ કરી રહી હતી ત્‍યારે અચાનક પુરપાટ વેગે આવી રહેલી કાર નં.ડીડી 03 ઈ 2148ના ચાલક અભિનવ પટેલે મહિલાને ટક્કર મારી દીધી હતી. કાર ચાલક પારડીનો હતો. પોલીસે એમ્‍બ્‍યુલન્‍સમાં ત્રણેય મૃતદેહને પી.એમ. માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. એક જ દિવસમાં બે અલગ અલગ અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ ગયાની ઘટનાએ પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર એન.એન.દવેએ ધરમપુરની દીકરીને અમેરિકન દંપતિને દત્તક આપવાનો હુકમ કર્યો

vartmanpravah

નરોલી ગ્રામ પંચાયત દ્વારા વિસ્‍તારમાં રખડતા 150થી વધુ ગૌધનને ડોકમરડી ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારત માતાનું પૂજન અને શહીદ પરિવારોના સન્‍માનના કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચેના ડીવાઈડર ઉપર ધૂળનો જમેલોઃ રાત્રી દરમ્‍યાન વાહનચાલકોને સફેદ પટ્ટા નહિ દેખાતા મોટી દુર્ઘટનાની જોવાતી રાહ?

vartmanpravah

Leave a Comment