October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

અકસ્‍માત ઝોન બનેલા વળાંકને સીધો કરવા માટે સેલવાસ-નરોલી રોડ પર આવેલા ઘટાદાર વૃક્ષોનું કાઢવામાં આવી રહેલું નિકંદનઃ પર્યાવરણપ્રેમીઓમાં દુઃખની લાગણી

સ્‍વામિનારાયણ મંદિર નજીક રોડના વળાંકને સીધો કરવા માટે 80 જેટલા વૃક્ષોને હટાવવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના મુખ્‍ય કહેવાતા સેલવાસ-નરોલી રોડ પર સ્‍વામિનારાયણ મંદિર નજીક મુખ્‍ય રસ્‍તા ઉપરના વળાંકને સીધો કરવાની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ વળાંક ઉપર વારંવાર નાનામોટા અકસ્‍માતો થતા હતા, જેમાં ચારથી વધુ યુવાનોનામોત પણ થયા હતા. જે સંદર્ભે નરોલી ગામના અગ્રણીઓ દ્વારા અકસ્‍માત ઝોન બનેલા વળાંક ઉપર સ્‍પીકબ્રેકર(બમ્‍પ) લગાવવાની પણ માંગ કરી હતી. ગામલોકોની માંગણીને ધ્‍યાનમાં લઈ વહીવટીતંત્ર દ્વારા આ રસ્‍તાનો સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો, અને હવે આ રસ્‍તા ઉપર જોખમી વળાંકને સીધો કરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્‍યો છે જેમાં 80 કરતા વધુ શીતળ છાંયડો આપતા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.
રોડને સીધો કરવાના ભાગરૂપે સ્‍વામિનારાયણ મંદિરના સ્‍વયંસેવકો દ્વારા રસ્‍તાને લાગેલી દીવાલનું સ્‍વયંભૂ ડિમોલિશન કરવામાં આવ્‍યું હતું. હાલમાં આ રસ્‍તાની બન્ને સાઈડના વૃક્ષો કાપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા પર્યાવરણપ્રેમીઓ દુઃખની લાગણી પણ અનુભવી રહ્યા છે.
રસ્‍તાના વળાંક ઉપરના વૃક્ષો કાપવાની કામગીરી દરમિયાન બન્ને તરફનો રસ્‍તો બંધ કરાતા ટ્રાફિકજામની સમસ્‍યા પણ સર્જાવા પામી હતી. જેને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ખુલ્લો કરવાની ભારે મથામણ કરવા પડી હતી. હજુ પણ વૃક્ષો કાપવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિકનું ભારણ ક્‍યારે હટશે..? એવો સવાલ આવતા-જતા વાહનચાલકો કરી રહ્યા છે.

Related posts

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં “રન ફોર સેવ યુથ એન્ડ સેવ નેશન” માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી પાલિકા સામાન્‍ય સભામાં રોડ રસ્‍તાની ઉભી થયેલ બબાલ બાદ પેવર બ્‍લોક નાખવાની કામગીરી શરૂ

vartmanpravah

ચીખલીમાં ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરોગ્‍ય વિભાગના ફાર્મસીસ્‍ટના વર્ષો જુના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી

vartmanpravah

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

Leave a Comment