August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી હવે 2પમી એપ્રિલે સેલવાસ-દમણની મુલાકાતે આવશે

સેલવાસ-દમણ ખાતે નમો મેડિકલ કોલેજ, સાયલી સ્‍ટેડિયમ, ફલાય ઓવર, દેવકા સી ફ્રન્‍ટ સહિત અનેક પ્રકલ્‍પોના ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન પણ પ્રધાનમંત્રી દ્વારા કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સેલવાસ અને દમણની મુલાકાતે આગામી 2પમી એપ્રિલના રોજ આવી રહ્યા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે. પ્રધાનમંત્રીશ્રીની સૂચિત મુલાકાતના પગલે પ્રશાસન પણ સતર્ક બન્‍યું છે.
મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સેલવાસમાં નમો મેડિકલ કોલેજ, સાયલી સ્‍ટેડિયમ, ફલાય ઓવર તથા દમણમાં દેવકા સી ફ્રન્‍ટ, પંચાયત ભવનો સહિત અનેક નવા પ્રોજેક્‍ટોનો શુભારંભ અને ભૂમિપૂજન કરાવશે.
17મી એપ્રિલની પ્રધાનમંત્રીશ્રીની સૂચિત સેલવાસ-દમણ યાત્રા મુલત્‍વી રહી હોવાની ખબર વહેતી થતાં લોકો નિરાશ થયા હતા. પરંતુ હવે, નવી તારીખ 2પમી એપ્રિલની જાણકારી મળતા ફરી લોકોમાં પોતાના લોકપ્રિય નેતાને વધાવવા માટે પ્રચંડ ઉત્‍સાહ પેદા થયો છે.
પ્રધાનમંત્રીશ્રીના પ્રવાસની મળેલી માહિતી મુજબ 2પમી એપ્રિલની સાંજે 4.30 કલાકે દમણ એરપોર્ટથી સમી સાંજે દેવકા સી ફ્રન્‍ટ સુધી રોડ શૉ પણ કરશે.
અત્રે યાદ રહેકે, મે-2014માં મોદી સરકારના આગમન બાદ જ ટચુકડા કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍યનું ઘડતર થયું છે. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને કઠોર પરિશ્રમના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર દેશમાં એક મોડેલ પ્રદેશ તરીકે ઉભરી ચૂક્‍યો છે.

Related posts

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

ચીખલી-વાંસદા મુખ્‍યમાર્ગ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે માર્ગની આજુબાજુની અડચણોને હટાવવા માંગ

vartmanpravah

ચીખલી તાલુકામાં ચોરટાઓ બેફામ બન્‍યા: હોન્‍ડ ગામે પરિવારના સભ્‍યો ઘરમાં સૂતા રહ્યા અને તસ્‍કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂા.1.14 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah

દાનહઃ ખેરડી ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થી અને યુવાનોની કારકિર્દી ઘડતર માટે કેરિયર કાઉન્‍સિલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી દેશના પ08 રેલવે સ્‍ટેશનના વિકાસ માટે વર્ચ્‍યુઅલી શિલાન્‍યાસ કર્યો

vartmanpravah

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment