April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઉજળિયાત સમાજના એક ગામમાં પોતાનું જ ધારેલું કરાવવા ટેવાયેલા નેતાને તાબે ન થનાર પરિવારને ગામમાંથી દૂર કરાતા ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.22: ચીખલી તાલુકાના એક ઉજળિયાત સમાજના એક ગામમાં પોતાનું જ ધારેલું કરાવવા ટેવાયેલા બની બેસેલા ગામના નેતાને તાબે ન થનાર પરિવારને ગામમાંથી દૂર કરાતા ચકચાર મચી જવા પામી છે.
ચીખલી તાલુકાના ઉજળિયાત સમાજના એક ગામમાંગામના કહેવાતા આગેવાન દ્વારા ગણપતિ ઉત્‍સવમાં ગામના જ સિનિયર સિટીઝન સેવાભાવી વડીલને પોતાની અંગત સ્‍વાર્થ અને મનમાની ખાતર ગામને બાનમાં લઈ ગણપતિ ઉત્‍સવના ભોજન સમારંભમાંથી દૂર રાખી જેમના ઘરના લોકોને ગામના જમણવારમાં બાકાત રાખવાના કિસ્‍સામાં ઉજળિયાત સમાજ તેમજ ચીખલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ચકચાર મચતા જે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા સાથે જેના ઘેરા પ્રત્‍યાઘાતો પડવા પામ્‍યાં છે.
ચીખલી તાલુકા મથકથી 12 કિમિ જેટલા અંતરે આવેલા અને ઉજળિયાત સમાજના ગામમાં બની બેસેલ મોટાભાઈ કે જે હાલ વિદેશ પ્રવાશે હોય અને જેઓની કરતુતથી આખો સમાજ અને ગામ પરિચિત હોય સમયે સમયે પાટલી બદલનાર અને પોતાના અંગત સ્‍વાર્થ ખાતર છેલ્લી કક્ષાની કોઈપણ કામગીરી કરતા આવેલા અને ગામના ઉજળિયાત સમાજને કાયમ માટે બાનમાં લેવા ટેવાયેલા અને જેમાં ખાસ કરીને એન.આર.આઈ ઉપર વટ જમાવી પોતે ધારે એ રીતે જ ગામમાં ચાલે એવું પ્રસ્‍થાપિત કરવા માટે સતત રચ્‍યા પચ્‍યા રહેતા અને ગામના એન.આર.આઈ.ઓમાં હાકધાક જમાવનાર એ મહાશ્રીને તાબે ન થનાર ગામના જ ઉજળિયાત સમાજના એક પરિવાર કે જે મહાશ્રયને તાબે ન થતા જેમણે પોતાની કળા કરવાની ચાલુ કરતાં જ એ જ સમયે ગણપતિ મહોત્‍સવ આવતા જેમાં ગણપતિ મહોત્‍સવ જમણવારયોજાતા જેમાં તાબે ન થયેલા એન.આર.આઈ પરિવારના ઘરે ગામના એક જાગૃત નાગરિક દ્વારા તમારે ગણપતિ મહોત્‍સવમાં જમવા આવવાનું નથી એવું ફરમાન કરાતા ચકચાર મચી જવા પામી છે. એટલું બાકી હોય એમ એનઆરઆઈ પરિવારનું ગણપતિ સમારંભનું ભોજન સ્‍વીકારવામાં આવશે નહીં એવું ફરમાન કરાવી એનઆરઆઈ પરિવારના 65 વર્ષીયથી વધુની ઉંમર ધરાવતા વડીલનું અપમાન કરી ગામમાંથી બહાર કરવાની વૃત્તિએ ચકચાર મચાવી છે તો બીજી તરફ વારંવાર અનેક પ્રકારના લોકોના પૈસા ટાઈફા કરાવવા ટેવાયેલા અને થોડા સમય અગાઉ જ ગામમાં વડીલ વંદના કાર્યક્રમ યોજી જેમાં એન.આર.આઈ પરિવારના વડીલનું સાલ ઓઢાની સેવાભાવી વ્‍યક્‍તિ તરીકે સન્‍માન કરવામાં આવ્‍યું હતું, તો થોડા જ સમયમાં આ વડીલે એવો તો કઈ ભૂલ કરી કે જેમને ફળિયામાંથી દૂર કરવાની નોબત આવી. પરંતુ એનઆરઆઈ પરિવાર તાબે ન થતા ગામને બાંધવા લઈને પ્રવૃત્તિ કરનાર સામે ચારે તરફથી ફિટકાર વરસવા પામ્‍યો છે અને જે વૃદ્ધો ચીખલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તાર સહિત ઉજળિયાત સમાજમાં ટોક ઓફ ધી ટાઉન બનવા સાથે ભારે ચર્ચાસ્‍પદ બનવા પામ્‍યો છે.

Related posts

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ : ટુક સમયમાં બ્રિજ કાર્યરત થશે

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

વલસાડ સેગવી પંચાયત ભાજપના સરપંચના નિવાસ સ્‍થાને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું સન્‍માન

vartmanpravah

નદીમાં ડુબતી મહિલાનો જીવ બચાવનાર યુવાનનું સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment