Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દાનહ ભાજપ મહિલા મોર્ચા દ્વારા મેડિકલ કેમ્‍પ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમા 6ઠ્ઠી એપ્રિલ ભાજપા સ્‍થાપના દિવસથી 14મી એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જન્‍મજયંતિ સુધી સામાજીક ન્‍યાય પખવાડા મનાવી રહી છે. એને ધ્‍યાનમાં રાખી મહિલા મોર્ચા સેલવાસ તરફથી 14મી એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જન્‍મ જયંતિ નિમિતે મેડીકલ કેમ્‍પનું આયોજન રેડ ચીલી રેસ્‍ટ્રો, એસબીઆઈ બેંકની બાજુમાં, કીલવણી રોડ, સેલવાસ ખાતે સાંજે 4.00 વાગ્‍યાથી 7.00વાગ્‍યા દરમ્‍યાન આયોજન કરવામાં આવ્‍યું છે. આ કેમ્‍પમાં ડો. તુષાર પટેલ ઓર્થોપેડિક, ડો. દિપ્તી અગ્રવાલ ગાયનેક, ડો. કિંજલ પટેલ સ્‍કીન સ્‍પેશ્‍યાલિસ્‍ટ, ડો. નૂતન બર્વે જનરલ પ્રેક્‍ટિશનર, ડો. ફેની પટેલ ડેન્‍ટલ ચિકિત્‍સક સેવા આપશે. આ કેમ્‍પનો મોટી સંખ્‍યામાં લાભ લેવા માટે ભાજપા મહિલા મોરચા દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

વાપી જનસેવા હોસ્‍પિટલમાં 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન થશે

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દમણ જિલ્લા માટે ચૌપાલના નવતર પ્રયોગથી ગ્રામજનોમાં સુકા અને ભીના કચરા માટે આવી રહેલી જાગૃતિ

vartmanpravah

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah

Leave a Comment