April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૦૭

ગુજરાત સરકાર, શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા દિવ્‍યાંગ વ્‍યકિતઓના કલ્‍યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૧ માટે શારિરીક ક્ષતિ ધરાવતી શ્રેષ્‍ઠ કાર્યક્ષમ વ્‍યકિતઓ સ્‍વરોજગાર કરતી દિવ્‍યાગ વ્‍યકિતઓ,  દિવ્‍યાંગોને નોકરી રાખનાર શ્રેષ્‍ઠ નોકરીદાતાઓ તથા  દિવ્‍યાંગ વ્‍યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્‍લેસમેન્‍ટ ઓફીસર્સ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્‍યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ કેટેગરીઓની અરજીઓનો નમૂનો www.talimrojgar.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તથા જિલ્લા રોજગાર કચેરી વલસાડ ખાતેથી વિના મૂલ્‍યે તા.૨૧/૧/૨૦૨૨ સુધીમાં મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્‍ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડણમાં સામેલ રાખવા, નોકરીદાતા તેમજ પ્‍લેસમેન્‍ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવાનાર રહેશે. ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્‍તાવેજો સહિત વલસાડ જિલ્લા રોજગાર કચેરીને તા.૨૧/૧/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે.  આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, વલસાડ નગરપાલિકા સભાગૃહ, પહેલો માળ, સ્‍ટેડિયમ રોડ, વલસાડ તથા નગર રોજગાર કચેરી ધરમપુરનો સંપર્ક સાધવા રોજગાર અધિકારી,વલસાડ દ્વારા જણવાયું છે.

Related posts

રાષ્ટ્રીય સફાઇ કામદાર આયોગના સદસ્ય અંજના પવારે અમદાવાદની મુલાકાત લીધી: સફાઇ કામદાર આયોગ અને વિવિધ યુનિયન સંગઠનો સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વલ્‍ડ ફાર્મસી-ડે ની ઉજવણી કરાઈ : વિદ્યાર્થીઓને ફાર્મસીસ્‍ટ તરીકેની પ્રતિજ્ઞા લેવડાવાઈ

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

vartmanpravah

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

દાનહના બિસ્‍માર રસ્‍તાઓથી દુઃખી બનેલા સાંસદ કલાબેન ડેલકરઃ છેવટે પ્રશાસકશ્રીના સલાહકારને કરી રજૂઆત

vartmanpravah

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

Leave a Comment