April 22, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

દાનહ અને દમણના તમામ ગામ, ફળિયા, પાડા, શેરીથી લોકો પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને રોડ શોમાં ભાગ લેવા ઉમળકાભેર ઉમટી પડે તે માટેના પ્રયાસો પણ તેજઃ પ્રશાસકશ્રી દ્વારા સ્‍વયં થઈ રહેલું મોનિટરીંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.16 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો હોવાથી કાઉન્‍ટ-ડાઉન શરૂ થઈ ચુક્‍યુ છે. પ્રશાસન તૈયારીમાં વ્‍યસ્‍ત થઈ ચુક્‍યું છે અને લોકો પોતાના લાડલા નેતાના દિદાર પામવા અધિરા બન્‍યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઐતિહાસિક સત્‍કાર માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.
દાદરા નગર હવેલી અને દમણના તમામ ગામ, ફળિયા, પાડા, શેરીથી લોકો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને રોડ શોમાં ભાગ લેવા ઉમળકાભેર ઉમટી પડે તે માટેના પ્રયાસો પણ તેજ થઈ રહ્યા છે. સભા સ્‍થળમાં કોઈ તકલીફ નહીં પડે તેની તકેદારી પણ પ્રશાસન અને આયોજકો દ્વારા લેવામાં આવી રહી છે.
સેલવાસ અને દમણમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને તેમના રોડ શોના સાક્ષી બનવા માટેઅત્‍યારથી જ લોકોમાં આતુરતા અને ઉત્‍સુકતા જોવા મળી રહી છે. તેથી ઐતિહાસિક જનમેદની ઉમટવાની અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્‍વયં મોનિટરિંગ કરી રહ્યા છે.

Related posts

થ્રીડી ‘રાષ્‍ટ્રીય પોષણ મિશન’ના પ્રભારી સંધ્‍યા રાયના નેતૃત્‍વમાં અને પ્રદેશ પ્રભારી વિજ્‍યા રહાટકરની ઉપસ્‍થિતિમાં નાની દમણ સોમનાથ ડીઆઈએ હોલમાં કુપોષણમાંથી બહાર આવેલા બાળકોનો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે ગ્રામ પંચાયત ભવનોનું કરાયેલું ભૂમિપૂજન સંઘપ્રદેશ પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પણ છેવાડેના વિકાસમાં માને છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય રહેતું હોવાથી સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયો

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

Leave a Comment