April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

દાનહ અને દમણના તમામ ગામ, ફળિયા, પાડા, શેરીથી લોકો પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને રોડ શોમાં ભાગ લેવા ઉમળકાભેર ઉમટી પડે તે માટેના પ્રયાસો પણ તેજઃ પ્રશાસકશ્રી દ્વારા સ્‍વયં થઈ રહેલું મોનિટરીંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.16 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો હોવાથી કાઉન્‍ટ-ડાઉન શરૂ થઈ ચુક્‍યુ છે. પ્રશાસન તૈયારીમાં વ્‍યસ્‍ત થઈ ચુક્‍યું છે અને લોકો પોતાના લાડલા નેતાના દિદાર પામવા અધિરા બન્‍યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઐતિહાસિક સત્‍કાર માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.
દાદરા નગર હવેલી અને દમણના તમામ ગામ, ફળિયા, પાડા, શેરીથી લોકો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને રોડ શોમાં ભાગ લેવા ઉમળકાભેર ઉમટી પડે તે માટેના પ્રયાસો પણ તેજ થઈ રહ્યા છે. સભા સ્‍થળમાં કોઈ તકલીફ નહીં પડે તેની તકેદારી પણ પ્રશાસન અને આયોજકો દ્વારા લેવામાં આવી રહી છે.
સેલવાસ અને દમણમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને તેમના રોડ શોના સાક્ષી બનવા માટેઅત્‍યારથી જ લોકોમાં આતુરતા અને ઉત્‍સુકતા જોવા મળી રહી છે. તેથી ઐતિહાસિક જનમેદની ઉમટવાની અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્‍વયં મોનિટરિંગ કરી રહ્યા છે.

Related posts

ડુંગરા પોલીસે કરવડ-તંબાડી ત્રણ રસ્‍તા પાસે ચોરીના ઈરાદે આવેલા યુવકની અટકાયત કરી

vartmanpravah

કેન્દ્રએ ‘ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે સમર્થન, 2022ના નિવારણ અંગે માર્ગદર્શિકા’ જારી કરી

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્‍ય કક્ષા) વલસાડ જિલ્લા મહિલા વિભાગ દ્વારા ગરબા ઉત્‍સવ તેમજ કન્‍યા પૂજનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાપીની મેરિલ કંપનીમાં મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાયેલું ઉદ્ઘાટન

vartmanpravah

‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

નમો મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિતેશ કન્‍હૈયા ઝાએ સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

Leave a Comment