October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: સાળંગપુરની પાવન ધરતી પર બિરાજમાન શ્રીકષ્ટભંજન હનુમાન દાદાના 175 વર્ષ પૂર્ણ થયા તેનો ભવ્‍ય શતામૃત ઉત્‍સવ ઉજવણી નિમિતે તારીખ 01/11/2023 ના રોજ શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથ સાંજે 5:30 કલાકે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજીની આગેવાની હેઠળ સંસ્‍થાની પાવન ભૂમિને ભક્‍તિમય બનાવશે. જેનો દરેક ભક્‍તો લાભ લઈ શકશે. સાંજે 7:00 કલાકે સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે. તારીખ 02/11/2023 ના રોજ સવારે 8 કલાકે છપ્‍પન ભોગ સાથે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ સવારે 9 કલાકે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથ શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવથી સમર્પણ જ્ઞાન સ્‍કુલ સલવાવ પહોચશે. 9:30 કલાકે સારસ્‍વત સ્‍કુલ, 10:00 વાગ્‍યે રામલીલા મેદાન, 11:00 વાગ્‍યે હિમ્‍મતસિંહ પાર્ક, 11:30 વાગ્‍યે ક્રિષ્‍ના ઈન્‍ટરનેશનલ સ્‍કુલ, બપોરે 3:00 વાગ્‍યે કેબીએસ કોલેજ, 4:00 વાગ્‍યે ઈચ્‍છાપૂર્તિ હનુમાન દાદા મંદિર ચણોદ ખાતે પધરામણી કરી 5:00 વાગ્‍યેસાળંગપુર જવા માટે રવાના થશે તો આપશ્રી જાહેર જનતાને શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે આ લાભ લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ અર્થે નીકળેલી સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું

vartmanpravah

ધરમપુર જામનપાડા ફોરેસ્‍ટનાકા પાસે લક્‍ઝરી બસ પલટી

vartmanpravah

વાપીમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.આશા ગાંધીનું ચિત્ર પ્રદર્શન યોજાયું

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment