Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: સાળંગપુરની પાવન ધરતી પર બિરાજમાન શ્રીકષ્ટભંજન હનુમાન દાદાના 175 વર્ષ પૂર્ણ થયા તેનો ભવ્‍ય શતામૃત ઉત્‍સવ ઉજવણી નિમિતે તારીખ 01/11/2023 ના રોજ શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથ સાંજે 5:30 કલાકે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજીની આગેવાની હેઠળ સંસ્‍થાની પાવન ભૂમિને ભક્‍તિમય બનાવશે. જેનો દરેક ભક્‍તો લાભ લઈ શકશે. સાંજે 7:00 કલાકે સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે. તારીખ 02/11/2023 ના રોજ સવારે 8 કલાકે છપ્‍પન ભોગ સાથે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારબાદ સવારે 9 કલાકે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથ શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવથી સમર્પણ જ્ઞાન સ્‍કુલ સલવાવ પહોચશે. 9:30 કલાકે સારસ્‍વત સ્‍કુલ, 10:00 વાગ્‍યે રામલીલા મેદાન, 11:00 વાગ્‍યે હિમ્‍મતસિંહ પાર્ક, 11:30 વાગ્‍યે ક્રિષ્‍ના ઈન્‍ટરનેશનલ સ્‍કુલ, બપોરે 3:00 વાગ્‍યે કેબીએસ કોલેજ, 4:00 વાગ્‍યે ઈચ્‍છાપૂર્તિ હનુમાન દાદા મંદિર ચણોદ ખાતે પધરામણી કરી 5:00 વાગ્‍યેસાળંગપુર જવા માટે રવાના થશે તો આપશ્રી જાહેર જનતાને શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે આ લાભ લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવાના મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા યોજાયેલી વિશાળ મૌન રેલીઃ સમાજના આગેવાનો દ્વારા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સુપ્રત કરેલું આવેદનપત્ર

vartmanpravah

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

vartmanpravah

‘શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય ૨૦૨૩’ દ્વારા દક્ષિણ ગુજરાતના ૬૦થી વધુ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાશે

vartmanpravah

Leave a Comment