July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

દાનહ અને દમણના તમામ ગામ, ફળિયા, પાડા, શેરીથી લોકો પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને રોડ શોમાં ભાગ લેવા ઉમળકાભેર ઉમટી પડે તે માટેના પ્રયાસો પણ તેજઃ પ્રશાસકશ્રી દ્વારા સ્‍વયં થઈ રહેલું મોનિટરીંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.16 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો હોવાથી કાઉન્‍ટ-ડાઉન શરૂ થઈ ચુક્‍યુ છે. પ્રશાસન તૈયારીમાં વ્‍યસ્‍ત થઈ ચુક્‍યું છે અને લોકો પોતાના લાડલા નેતાના દિદાર પામવા અધિરા બન્‍યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઐતિહાસિક સત્‍કાર માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.
દાદરા નગર હવેલી અને દમણના તમામ ગામ, ફળિયા, પાડા, શેરીથી લોકો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને રોડ શોમાં ભાગ લેવા ઉમળકાભેર ઉમટી પડે તે માટેના પ્રયાસો પણ તેજ થઈ રહ્યા છે. સભા સ્‍થળમાં કોઈ તકલીફ નહીં પડે તેની તકેદારી પણ પ્રશાસન અને આયોજકો દ્વારા લેવામાં આવી રહી છે.
સેલવાસ અને દમણમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને તેમના રોડ શોના સાક્ષી બનવા માટેઅત્‍યારથી જ લોકોમાં આતુરતા અને ઉત્‍સુકતા જોવા મળી રહી છે. તેથી ઐતિહાસિક જનમેદની ઉમટવાની અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્‍વયં મોનિટરિંગ કરી રહ્યા છે.

Related posts

આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

વલસાડ હાઈવે ધમડાચી પાસે કન્‍ટેનર અને ટ્રેઈલર વચ્‍ચે જોરદાર અકસ્‍માત : કન્‍ટેનર કેબીન ટ્રેઈલરમાં ફસાયું

vartmanpravah

..નહી તો અકસ્‍માતનો સેતુ બનશે… મોટી દમણના રામસેતુ બીચ રોડ ઉપર વાહનો માટે સ્‍પીડ મર્યાદા નક્કી કરવી જરૂરી

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા સગીરા સાથે યૌન ઉત્‍પીડનના આરોપીને 3 વર્ષની જેલની સજાનો આદેશ

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

Leave a Comment