Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

દાનહ અને દમણના તમામ ગામ, ફળિયા, પાડા, શેરીથી લોકો પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને રોડ શોમાં ભાગ લેવા ઉમળકાભેર ઉમટી પડે તે માટેના પ્રયાસો પણ તેજઃ પ્રશાસકશ્રી દ્વારા સ્‍વયં થઈ રહેલું મોનિટરીંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.16 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો હોવાથી કાઉન્‍ટ-ડાઉન શરૂ થઈ ચુક્‍યુ છે. પ્રશાસન તૈયારીમાં વ્‍યસ્‍ત થઈ ચુક્‍યું છે અને લોકો પોતાના લાડલા નેતાના દિદાર પામવા અધિરા બન્‍યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઐતિહાસિક સત્‍કાર માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.
દાદરા નગર હવેલી અને દમણના તમામ ગામ, ફળિયા, પાડા, શેરીથી લોકો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને રોડ શોમાં ભાગ લેવા ઉમળકાભેર ઉમટી પડે તે માટેના પ્રયાસો પણ તેજ થઈ રહ્યા છે. સભા સ્‍થળમાં કોઈ તકલીફ નહીં પડે તેની તકેદારી પણ પ્રશાસન અને આયોજકો દ્વારા લેવામાં આવી રહી છે.
સેલવાસ અને દમણમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને તેમના રોડ શોના સાક્ષી બનવા માટેઅત્‍યારથી જ લોકોમાં આતુરતા અને ઉત્‍સુકતા જોવા મળી રહી છે. તેથી ઐતિહાસિક જનમેદની ઉમટવાની અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્‍વયં મોનિટરિંગ કરી રહ્યા છે.

Related posts

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ છીપવાડ અંડરપાસ નજીક રિક્ષા પલ્‍ટી મારતા ચાલક સહિત ચાર મુસાફરો ઘાયલ

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા કરચોડમાં ‘માઁ-બેટી સ્‍નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment