Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે પોતાના સત્તાવાર ટ્‍વીટમાં દીવના પ્રસિદ્ધ કલાકાર અને ચિત્રકાર શ્રી પ્રેમજીત બારિયા પાસેથી તેમને મળેલી દીવની ઉત્‍કૃષ્‍ટ કલાકૃતિઓની ભરપુર પ્રશંસા કરી હતી અને પ્રેમજીત બારિયા દ્વારા કરવામાં આવેલા આર્ટ વર્કની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આવતા દિવસોમાંલોકોને આ પ્રકારના સરાહનીય કામો દીવની મુલાકાત લેવા માટે પ્રેરિત કરશે એવી લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દીવના પ્રસિદ્ધ કલાકાર અને ચિત્રકાર શ્રી પ્રેમજીત બારિયાને ગત 5મી એપ્રિલના રોજ પદ્મશ્રી એવોર્ડથી સન્‍માનિત કરાયા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ એક મહિનાની અંદર બીજી વખત દીવને યાદ કરતા આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રત્‍યેના તેમના સ્‍નેહના પણ દર્શન થયા છે. અત્રે યાદ રહે કે, દેશની આઝાદીના 75 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સિવાયના એક પણ પ્રધાનમંત્રીશ્રીએ દેશના દીવ જેવા કોઈપણ ટચૂકડા વિસ્‍તાર માટે એક પોસ્‍ટ કાર્ડ પણ લખ્‍યો હોવાનું જણાતુ નથી. જે ખુબ જ સૂચક છે.

Related posts

આજે વાપી-વલસાડમાં રામ નવમીના અવસરે ભગવાન રામની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે: હજારો રામ ભક્‍ત જોડાશે

vartmanpravah

નાની દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા રામદાસ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah

એચ.ડી.એસ.વી. સાર્વજનિક હાઈસ્‍કૂલ ફડવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

કેન્‍દ્રીય આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગરવાલે સંઘપ્રદેશમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ની કામગીરીની કરેલી સમીક્ષા

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

Leave a Comment