(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.16 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે પોતાના સત્તાવાર ટ્વીટમાં દીવના પ્રસિદ્ધ કલાકાર અને ચિત્રકાર શ્રી પ્રેમજીત બારિયા પાસેથી તેમને મળેલી દીવની ઉત્કૃષ્ટ કલાકૃતિઓની ભરપુર પ્રશંસા કરી હતી અને પ્રેમજીત બારિયા દ્વારા કરવામાં આવેલા આર્ટ વર્કની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવતા દિવસોમાંલોકોને આ પ્રકારના સરાહનીય કામો દીવની મુલાકાત લેવા માટે પ્રેરિત કરશે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દીવના પ્રસિદ્ધ કલાકાર અને ચિત્રકાર શ્રી પ્રેમજીત બારિયાને ગત 5મી એપ્રિલના રોજ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક મહિનાની અંદર બીજી વખત દીવને યાદ કરતા આ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રત્યેના તેમના સ્નેહના પણ દર્શન થયા છે. અત્રે યાદ રહે કે, દેશની આઝાદીના 75 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સિવાયના એક પણ પ્રધાનમંત્રીશ્રીએ દેશના દીવ જેવા કોઈપણ ટચૂકડા વિસ્તાર માટે એક પોસ્ટ કાર્ડ પણ લખ્યો હોવાનું જણાતુ નથી. જે ખુબ જ સૂચક છે.