October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે પોતાના સત્તાવાર ટ્‍વીટમાં દીવના પ્રસિદ્ધ કલાકાર અને ચિત્રકાર શ્રી પ્રેમજીત બારિયા પાસેથી તેમને મળેલી દીવની ઉત્‍કૃષ્‍ટ કલાકૃતિઓની ભરપુર પ્રશંસા કરી હતી અને પ્રેમજીત બારિયા દ્વારા કરવામાં આવેલા આર્ટ વર્કની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આવતા દિવસોમાંલોકોને આ પ્રકારના સરાહનીય કામો દીવની મુલાકાત લેવા માટે પ્રેરિત કરશે એવી લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દીવના પ્રસિદ્ધ કલાકાર અને ચિત્રકાર શ્રી પ્રેમજીત બારિયાને ગત 5મી એપ્રિલના રોજ પદ્મશ્રી એવોર્ડથી સન્‍માનિત કરાયા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ એક મહિનાની અંદર બીજી વખત દીવને યાદ કરતા આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રત્‍યેના તેમના સ્‍નેહના પણ દર્શન થયા છે. અત્રે યાદ રહે કે, દેશની આઝાદીના 75 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સિવાયના એક પણ પ્રધાનમંત્રીશ્રીએ દેશના દીવ જેવા કોઈપણ ટચૂકડા વિસ્‍તાર માટે એક પોસ્‍ટ કાર્ડ પણ લખ્‍યો હોવાનું જણાતુ નથી. જે ખુબ જ સૂચક છે.

Related posts

નાની દમણના દેવકા રોડ ખાતે દામિની વૂમન ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ જૂના કુવાને રિચાર્જ કરી પ્રાકૃતિક જળષાોતના રૂપે ફરી સ્‍થાપિત કર્યો

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાનહના પશુપાલકોનું એક જૂથ બનાસ ડેરીમાં તાલીમ લેવા બનાસકાંઠા રવાના

vartmanpravah

આઇ.સી.ડી.એસ. વલસાડના ઘટક-૧ ના ભદેલી જગાલાલા સેજામાં રોટરી કલબ ઓફ વલસાડ તરફથી ૩૫ સર્ગભા માતાઓને પોષણકીટનું વિતરણ કરાયું

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકનંદજીની 162મી જન્‍મજયંતી રંગેચંગે ઉજવાઈ: 3000 યુવાનોએ રેલી અને સંમેલનમાં ભાગ લીધો

vartmanpravah

Leave a Comment