June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20: તાજેતરમાં જ પદ્મશ્રીથી સન્‍માનીત શ્રી પ્રેમજીત બારીયાએ તા.20-4-2023નાં રોજ દમણ ખાતે ડીએનએચ અને દમણ-દીવના સન્‍માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમ્‍યાન પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રપતિ ભવનમાં દરબાર હોલમાં પદ્મશ્રી એવોર્ડ કાર્યક્રમ, અશોક હોલમાં ગ્રુપ ફોટો કાર્યક્રમ અને ત્‍યાર પછી બધા જ એવોર્ડને રાષ્‍ટ્રપતિ, ઉપ રાષ્‍ટ્રપતિ, પ્રધાન મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી વગેરે મહાનુભાવો રૂબરૂ મળ્‍યા તે બધી જ વાતો વિગતવાર જણાવી હતી.
આ સાંભળી પ્રશાસક મહોદય ખૂબ જ ખુશ થયા અને પદ્મશ્રી તથા પ્રધાનમંત્રીના ટ્‍વીટર ઉપર આવેલ સંદેશથી પદ્મશ્રી પ્રેમજીત બારીયાને અભિનંદન આપ્‍યા હતા. સાથોસાથ જણાવ્‍યું કે તમે ડીએનએચ, દમણ એન્‍ડ દીવનું નામ તમારા દીવના સ્‍થાપત્‍યનાં કલાત્‍મક ચિત્રો પ્રદર્શન મંત્રીના ટ્‍વીટર મારફત વિશ્વ સ્‍તરે લઈ આવ્‍યા.
વધુમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કહ્યું કે, હવેની આજની નવી પેઢીને તમારા આ કલાક્ષેત્રમાં જોડાવાની પ્રેરણા આપજો અને નવા છોકરાઓને ચિત્રકલામાં તૈયાર કરશો. જેથી તમારા પછી પણ આ સ્‍થાપત્‍ય કલા જીવંત રહે તેવા પ્રયત્‍ન કરતા રહેશોતેવું માર્ગદર્શન આપ્‍યું.
છેલ્લે કહ્યું… તમે ફક્‍ત દીવ-દમણના ખારવા જ્ઞાતિના જ નહીં પરંતુ ગુજરાત રાજ્‍યના દરિયા કિનારાના તમામ ખારવા (માછીમારો)નું ગૌરવ વધાર્યું છે.

Related posts

પ્રશાસકપ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કચીગામ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ: જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

vartmanpravah

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

દીવ ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારીઓના આયોગના પ્રમુખનું કરેલું ઉષ્‍માભર્યુ સ્‍વાગત

vartmanpravah

શતાબ્‍દી વર્ષમાં પ્રવેશેલ આર.એસ.એસ દ્વારા પારડી નગરમાં વિજ્‍યા દસમી ઉત્‍સવની ઉજવણી

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગર પાલિકા હદ વિસ્‍તારમાં રૂા. 9 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયાના અધ્યક્ષસ્થાને ઘેલવાડ પંચાયત ભાજપ મંડળની બેઠકમાં સંગઠનને મજબુત બનાવવા અને સરકારની યોજનાઓ છેવાડેના લોકો સુધી પહોંચાડવા મનન-મંથન

vartmanpravah

Leave a Comment