Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના દેગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાતા તળાવમાંથી માટીનો બારોબાર નિકાલ થતો હોવાની ગ્રામજનોમાં ઉઠી રહેલી ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.26: ચીખલી તાલુકાના દેગામ ગમે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવમાંથી માટી ખોદી ખાનગી વ્‍યક્‍તિને વેચવામાં આવતા ગ્રામજનોમાં ભારે ગણગણાટ ફેલાવા પામ્‍યો છે અને જે માટી ગામના જ એક રાજકીય આગેવાન દ્વારા વેચવામાં આવતી હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. જે બાબતે ભૂસ્‍તર વિભાગ અને ડ્રેનેજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો માટી ચોરીનું મોટું કૌભાંડ બહાર આવવા પામે છે.
સરકાર દ્વારા પાણીનો સંગ્રહ કરી જલસ્‍તર ઊંચું લાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી તળાવ ઊંડા કરવા સુજલામ સુફલામ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત સમગ્ર રાજ્‍યમાં તળાવો ખોદવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ચીખલી તાલુકાના દેગામ ગામે તળાવ ખોદવાની કામગીરી ચાલી રહી છે. અને સરકારી નિયમ અનુસાર તળાવમાંથી નીકળતી માટી ગામના ખેડૂતોના ખેતરમાં અથવા તો સરકારી કામોમાં વાપરવા માટેનો સરકારનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલ છે. ત્‍યારે દેગામ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ખોદવાની મંજૂરી આપવામાં આવેલો છે. ત્‍યારે આ તળાવનીમાટી નિતિનિયમ વિરૂધ્‍ધ બહાર ખાનગી એજન્‍સીઓ ખાનગી પ્રોજેક્‍ટોમાં ગામના જ એક રાજકીય આગેવાનની રહેમ નજર અને મિલીભગતમાં લાખો રૂપિયાની માટી ગામ બહાર વેચવાનો કાળો કારભાર ચાલી રહ્યો છે. અને જેના પગલે સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્‍યારે ખાણ ખનીજ વિભાગ કે સ્‍થાનિક વહીવટ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો રાજકીય આગેવાન દ્વારા મસમોટું માટી ચોરીનું કૌભાંડનો પર્દાફાશ થવા પામી એમ છે.

Related posts

વાપી શામળાજી હાઈવે ઉપર નાનાપોંઢા નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા હાઈવે અવર જવર ત્રણ કલાક અટક્‍યો

vartmanpravah

ચીખલીના વંકાલમાં જોખમી વીજપોલ અંગે વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાતા સર્વે હાથ ધરાયો

vartmanpravah

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

સેલવાસમાં નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસની કરાયેલી ઉજવણી : ‘નદી સ્‍વચ્‍છતા’ અભિયાન અંતર્ગત પીપરીયા પુલ નજીક ખાડીમાં મોટાપાયે સાફ-સફાઈ કરી ફેલાવેલો સ્‍વચ્‍છતાનો સંદેશ

vartmanpravah

Leave a Comment