April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના દેગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાતા તળાવમાંથી માટીનો બારોબાર નિકાલ થતો હોવાની ગ્રામજનોમાં ઉઠી રહેલી ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.26: ચીખલી તાલુકાના દેગામ ગમે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવમાંથી માટી ખોદી ખાનગી વ્‍યક્‍તિને વેચવામાં આવતા ગ્રામજનોમાં ભારે ગણગણાટ ફેલાવા પામ્‍યો છે અને જે માટી ગામના જ એક રાજકીય આગેવાન દ્વારા વેચવામાં આવતી હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. જે બાબતે ભૂસ્‍તર વિભાગ અને ડ્રેનેજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો માટી ચોરીનું મોટું કૌભાંડ બહાર આવવા પામે છે.
સરકાર દ્વારા પાણીનો સંગ્રહ કરી જલસ્‍તર ઊંચું લાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી તળાવ ઊંડા કરવા સુજલામ સુફલામ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત સમગ્ર રાજ્‍યમાં તળાવો ખોદવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ચીખલી તાલુકાના દેગામ ગામે તળાવ ખોદવાની કામગીરી ચાલી રહી છે. અને સરકારી નિયમ અનુસાર તળાવમાંથી નીકળતી માટી ગામના ખેડૂતોના ખેતરમાં અથવા તો સરકારી કામોમાં વાપરવા માટેનો સરકારનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલ છે. ત્‍યારે દેગામ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ખોદવાની મંજૂરી આપવામાં આવેલો છે. ત્‍યારે આ તળાવનીમાટી નિતિનિયમ વિરૂધ્‍ધ બહાર ખાનગી એજન્‍સીઓ ખાનગી પ્રોજેક્‍ટોમાં ગામના જ એક રાજકીય આગેવાનની રહેમ નજર અને મિલીભગતમાં લાખો રૂપિયાની માટી ગામ બહાર વેચવાનો કાળો કારભાર ચાલી રહ્યો છે. અને જેના પગલે સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્‍યારે ખાણ ખનીજ વિભાગ કે સ્‍થાનિક વહીવટ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો રાજકીય આગેવાન દ્વારા મસમોટું માટી ચોરીનું કૌભાંડનો પર્દાફાશ થવા પામી એમ છે.

Related posts

ધરમપુર રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો : ધારાસભ્‍ય સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની 12 અને 13મી નવેમ્‍બરે પ્રસ્‍તાવિત સંઘપ્રદેશની મુલાકાતને નજર સમક્ષ રાખી સેલવાસમાં ચાલી રહેલી સ્‍વાગત માટેની તડામાર તૈયારીઃ પોલીસ વિભાગ દ્વારા લોકોનું કરાઈ રહેલું વેરીફિકેશન

vartmanpravah

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવનું ગૌરવ

vartmanpravah

Leave a Comment