Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ નગરપાલિકાને ડેંગ્‍યુ-મેલેરિયાના ફેલાવાને નિયંત્રણમાં રાખવા મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.04 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને સેલવાસ નગરપાલિકાપ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં ન.પા. ચીફ ઓફિસરશ્રીના નેતૃત્‍વમાં સેલવાસ પાલિકા ડેંગ્‍યુ અને મેલેરિયા જેવી બીમારીઓને રોકવા માટે ફોગીંગ, પ્રજનન સ્‍થળ નિર્મૂલન અને દવાનો છંટકાવ કરવા જેવી પ્રવૃત્તિ પાલિકા વિસ્‍તારમાં કરી રહી છે.

  સેલવાસ વિસ્‍તારમાં ઓગસ્‍ટમાં 22, સપ્‍ટેમ્‍બરમાં 100, ઓક્‍ટોબરમાં 80 અને નવેમ્‍બરમા 56 ડેંગ્‍યુના કેસો જોવા મળ્‍યા હતા અને વર્ષ 2022માં મેલેરિયાના 8 કેસો નોંધાયા હતા. નગરપાલિકા દ્વારા ડેંગ્‍યુ-મલેરિયાને અટકાવવાના પ્રયાસના કારણે ડિસેમ્‍બરમાં ડેંગ્‍યુના ફક્‍ત 3 કેસ અને મલેરિયાનો એક પણ કેસ નોંધાવા પામ્‍યો નથી. સેલવાસ પાલિકાના ધ્‍યાનમાં આવેલ કે સોસાયટી અને દુકાનદારો દ્વારા પોતાની સોસાયટીમાં અથવા દુકાનોની આસપાસ કચરો ફેંકી દે છે જેનાથી ગંદકી ફેલાય છે અને ડેંગ્‍યુ-મલેરિયા જેવી બીમારીઓને ફેલાવનાર મચ્‍છરોની સંખ્‍યામાં વૃદ્ધિ થતી હતી અને તેનાથી બીમારી ફેલાય છે. તેથી સેલવાસ પાલિકા દ્વારા શહેરીજનોને સલાહ આપવામાં આવે છે કે, પોતાની સોસાયટીઓમાં અથવા દુકાનો પાસે કચરો ન ફેંકે અને પાણીનો જમાવડો નહીં થવા દે. ઘરમાં રાખવામાં આવેલ ફુલદાની, કૂલર ફ્રિજ કે અન્‍ય જગ્‍યા ઉપર પણ પાણી જમા થવા દેવું નહીં.

Related posts

વાપીમાં ગ્રોથ ક્રાફટ ટ્રેનિંગ સોલ્‍યુસન તાલીમ સુવિધા કેન્‍દ્રનો પ્રારંભ

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

vartmanpravah

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

vartmanpravah

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

vartmanpravah

Leave a Comment