October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ નગરપાલિકાને ડેંગ્‍યુ-મેલેરિયાના ફેલાવાને નિયંત્રણમાં રાખવા મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.04 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને સેલવાસ નગરપાલિકાપ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં ન.પા. ચીફ ઓફિસરશ્રીના નેતૃત્‍વમાં સેલવાસ પાલિકા ડેંગ્‍યુ અને મેલેરિયા જેવી બીમારીઓને રોકવા માટે ફોગીંગ, પ્રજનન સ્‍થળ નિર્મૂલન અને દવાનો છંટકાવ કરવા જેવી પ્રવૃત્તિ પાલિકા વિસ્‍તારમાં કરી રહી છે.

  સેલવાસ વિસ્‍તારમાં ઓગસ્‍ટમાં 22, સપ્‍ટેમ્‍બરમાં 100, ઓક્‍ટોબરમાં 80 અને નવેમ્‍બરમા 56 ડેંગ્‍યુના કેસો જોવા મળ્‍યા હતા અને વર્ષ 2022માં મેલેરિયાના 8 કેસો નોંધાયા હતા. નગરપાલિકા દ્વારા ડેંગ્‍યુ-મલેરિયાને અટકાવવાના પ્રયાસના કારણે ડિસેમ્‍બરમાં ડેંગ્‍યુના ફક્‍ત 3 કેસ અને મલેરિયાનો એક પણ કેસ નોંધાવા પામ્‍યો નથી. સેલવાસ પાલિકાના ધ્‍યાનમાં આવેલ કે સોસાયટી અને દુકાનદારો દ્વારા પોતાની સોસાયટીમાં અથવા દુકાનોની આસપાસ કચરો ફેંકી દે છે જેનાથી ગંદકી ફેલાય છે અને ડેંગ્‍યુ-મલેરિયા જેવી બીમારીઓને ફેલાવનાર મચ્‍છરોની સંખ્‍યામાં વૃદ્ધિ થતી હતી અને તેનાથી બીમારી ફેલાય છે. તેથી સેલવાસ પાલિકા દ્વારા શહેરીજનોને સલાહ આપવામાં આવે છે કે, પોતાની સોસાયટીઓમાં અથવા દુકાનો પાસે કચરો ન ફેંકે અને પાણીનો જમાવડો નહીં થવા દે. ઘરમાં રાખવામાં આવેલ ફુલદાની, કૂલર ફ્રિજ કે અન્‍ય જગ્‍યા ઉપર પણ પાણી જમા થવા દેવું નહીં.

Related posts

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ્‍સ બાર એસો. સંયુક્‍ત નેજા હેઠળ ભીમપોરમાં કામદારો માટે કાનૂની માહિતી શિબિર યોજાઈ

vartmanpravah

આદિવાસી ગૌરવ દિવસઃ નાનાપોંઢામાં બિરસા મુંડાની 1પ0મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય સમુદ્રતટ સફાઈ દિવસના ઉપલક્ષમાં દમણના સમુદ્ર તટ ઉપર સ્‍વચ્‍છતા માટે ઉમટેલો માનવ મહેરામણઃ લોકોએ બતાવેલી સ્‍વયંભૂ જાગૃતિ

vartmanpravah

Leave a Comment