Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ નગરપાલિકાને ડેંગ્‍યુ-મેલેરિયાના ફેલાવાને નિયંત્રણમાં રાખવા મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.04 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને સેલવાસ નગરપાલિકાપ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં ન.પા. ચીફ ઓફિસરશ્રીના નેતૃત્‍વમાં સેલવાસ પાલિકા ડેંગ્‍યુ અને મેલેરિયા જેવી બીમારીઓને રોકવા માટે ફોગીંગ, પ્રજનન સ્‍થળ નિર્મૂલન અને દવાનો છંટકાવ કરવા જેવી પ્રવૃત્તિ પાલિકા વિસ્‍તારમાં કરી રહી છે.

  સેલવાસ વિસ્‍તારમાં ઓગસ્‍ટમાં 22, સપ્‍ટેમ્‍બરમાં 100, ઓક્‍ટોબરમાં 80 અને નવેમ્‍બરમા 56 ડેંગ્‍યુના કેસો જોવા મળ્‍યા હતા અને વર્ષ 2022માં મેલેરિયાના 8 કેસો નોંધાયા હતા. નગરપાલિકા દ્વારા ડેંગ્‍યુ-મલેરિયાને અટકાવવાના પ્રયાસના કારણે ડિસેમ્‍બરમાં ડેંગ્‍યુના ફક્‍ત 3 કેસ અને મલેરિયાનો એક પણ કેસ નોંધાવા પામ્‍યો નથી. સેલવાસ પાલિકાના ધ્‍યાનમાં આવેલ કે સોસાયટી અને દુકાનદારો દ્વારા પોતાની સોસાયટીમાં અથવા દુકાનોની આસપાસ કચરો ફેંકી દે છે જેનાથી ગંદકી ફેલાય છે અને ડેંગ્‍યુ-મલેરિયા જેવી બીમારીઓને ફેલાવનાર મચ્‍છરોની સંખ્‍યામાં વૃદ્ધિ થતી હતી અને તેનાથી બીમારી ફેલાય છે. તેથી સેલવાસ પાલિકા દ્વારા શહેરીજનોને સલાહ આપવામાં આવે છે કે, પોતાની સોસાયટીઓમાં અથવા દુકાનો પાસે કચરો ન ફેંકે અને પાણીનો જમાવડો નહીં થવા દે. ઘરમાં રાખવામાં આવેલ ફુલદાની, કૂલર ફ્રિજ કે અન્‍ય જગ્‍યા ઉપર પણ પાણી જમા થવા દેવું નહીં.

Related posts

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

vartmanpravah

નવસારી જિલ્લાકક્ષાના ૭પમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના ગાંધીમેદાન ખાતે હર્ષોલ્લાસભેર કરાઈ

vartmanpravah

પારડી બેંક ઓફ બરોડામાં મહિલાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા

vartmanpravah

ચીખલીમાં વૈકલ્‍પિક એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં અપૂરતી જગ્‍યા અને સલામતીની વ્‍યવસ્‍થાના અભાવ વચ્‍ચે મુસાફરોની ભીડમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

vartmanpravah

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment