December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામમાં વ્યસનના રવાડે ચઢેલા પતિનું અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સંસાર થાળે પાડયો

  • પતિ નોકરી ધંધો ન કરી પરિવારના સભ્યો પર ત્રાસ ગુજારતો હોવાથી ૧૮૧ પર પત્નીએ કોલ કર્યો હતો

  • બંનેએ ૧૭ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને હાલમાં બે સંતાનો છે

વલસાડ તા. ૨૬ એપ્રિલ : ઉમરગામ તાલુકાના શહેરી વિસ્તારમાંથી એક પરિણીતા બેરોજગાર પતિના વ્યસનના ત્રાસથી કંટાળી માનસિક રીતે પડી ભાંગી હતી. છેવટે ૧૮૧ અભયમને  વ્યથા જણાવતા ટીમે ઘટના સ્થળે પહોંચી પતિનું કાઉન્સિલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

       ઉમરગામની પરિણીતાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, ૧૭ વર્ષ પહેલા તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. હાલમાં બે બાળકો છે. ઘણા સમયથી મજૂરી કામ માટે બહારગામ રહેતા હોવાથી પોતાનું મકાન નથી અને ભાડાના મકાનમાં રહે છે. લગ્નનાં થોડાં સમય સુધી પતિ નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો પરંતુ થોડા સમય બાદ વ્યસનની આદત પડતા નોકરી ધંધો કરતો ન હતો. નોકરી જવા માટે જણાવવામાં આવે તો થોડા દિવસ નોકરી કરીને બાદમાં છોડી દે છે. હાલમાં પરિણીતા પોતે નોકરી કરી સાસુ અને બાળકોનું ભરણપોષણ કરે છે. પતિ ખૂબ જ વ્યસન કરી પરિવારના સભ્યોને હેરાન કરતો આવ્યો છે. ઘણા સમયથી આવી જ પરિસ્થિતિ હોવાથી ઘણા મહિનાથી મકાનનું ભાડું પણ ભરાયુ નથી. જે અંગે પતિને જણાવે તો ઝઘડો કરતો હતો. અનેકવાર સમજાવવા છતાં પતિ કોઈપણ બાબતે સમજવા રાજી ન થતાં છેવટે ત્રાસી જઈ 181 ટીમની મદદ માંગી હતી. અભયમની ટીમે પતિ સાથે રૂબરૂ વાતચીત કરી અને સમજાવવાની કોશિશ કરી હતી. પતિ ઘરમાં એક માત્ર જવાબદાર વ્યક્તિ હોવાથી પોતાની ફરજ અદા કરવા માટે સમજાવી વ્યસન કરવાથી લાંબા ગાળે સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે જેના કારણે પરિવારના સભ્યો ઉપર અને બાળકના ભવિષ્ય ઉપર પણ વિપરીત અસર થાય છે. આમ પતિને પોતાની ભૂલ સમજાતા પરિવારની માફી માંગી અને હવે પછી વ્યસન ન કરવા માટે ખાતરી આપી અને એક જવાબદાર વ્યક્તિ બની પરિવારની સાર સંભાળ લેવા જણાવી પોતાને જવાબદારીનો અહેસાસ કરાવવા બદલ 181 ટીમનો આભાર માન્યો હતો.

Related posts

સમગ્ર સેલવાસ ભાજપમય બન્‍યું: બુલંદ બનેલો વિજયનો વિશ્વાસ દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે પ્રચંડ રોડ શૉ સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

મતદારયાદી સુધારણા કાર્યક્રમ: રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ: જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વિસ્તારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

દમણની કલેક્‍ટર કોર્ટે આપેલો શિરમોર ચુકાદો દમણના આગેવાન ઉદ્યોગપતિ અને લેન્‍ડ ડેવલપર અનિલ અગ્રવાલના ધર્મપત્‍ની સુલોચના દેવી ખેડૂત નથીઃ કૃષિની ખરીદેલી તમામ જમીનની સેલ પરમિશન રદ્‌ કરવાનો પણ આદેશ

vartmanpravah

વલસાડમાં ગણેશ મહોત્‍સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

મિત્રો સાથે સાપુતારા ફરવા નિકળેલા નવસારીના બે યુવાનોના ચીખલી વાંઝણાપાસે થયેલ માર્ગ અકસ્‍માતમાં મોત

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દમાં દોઢ વર્ષે પણ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતાં નાના ભૂલકાંઓ ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

Leave a Comment