Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને વાહન વ્‍યવહાર માટે સરળતા પડશેઃ રાત્રી રોકાણ પણ ગામમાં જ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: ધરમપુર એસટી ડેપો ખાતે તા.01 મે ગુજરાત સ્‍થાપના દિન નિમિત્તે તાલુકાના અંતરિયાળ ગામડાના લોકોને વાહન વ્‍યવહારની સુવિધા મળી રહે તેવા શુભ આશય સાથે ભેટ સ્‍વરૂપે (1) માની નાઈટ (2) ચવરા નાઈટ (3) તણસીયા નાઈટ (4) પાંચવેરા નાઈટ અને (5) કોસબાડી નાઈટ માટે મીડી બસનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ધરમપુરના ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલે જણાવ્‍યું કે, અત્‍યાર સુધી આ ગામડાઓમાં બસો દોડતી હતી પરંતુ રાજ્‍ય સરકાર દ્વારા નવી નક્કોર મીડી બસ ફાળવવામાં આવી છે. જેના થકી અંતરિયાળ ગામડાના લોકોને ઝડપી વાહન વ્‍યવહાર માટે સુગમતા પડશે. આ મીડી બસ ગામડાના સાંકડા રસ્‍તા પરથી પણ સરળતાથી પસાર થઈ શકશે. આ પાંચેય બસ દિવસ દરમિયાન તો આ ગામડાઓના શિડ્‍યુલ પ્રમાણે દોડશે પણ રાત્રિ રોકાણ પણ જે તે ગામમાં કરશે. જેથી ગ્રામજનોને વાહન વ્‍યવહાર માટે ખાનગી વાહનો પર આધાર રાખવો પડશે નહીં.
આ લોકાર્પણ પ્રસંગે ડો. હેમતભાઇ પટેલ, ધરમપુરતાલુકા પંચાયતના મહામંત્રી ધનેશભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના સદસ્‍ય સર્વશ્રી હરીભાઈ, શિવજીભાઈ, કાતિભાઈ, વિજયભાઇ, રમણભાઇ, મોતીભાઈ, ખાનસિંહભાઈ અને સરપંચ મોહનભાઇ સાથે વિભાગીય પરિવહન અધિકારી સ્‍નેહલ પટેલની ઉપસ્‍થિતિમાં ધરમપુરના ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલ દ્વારા મુસાફર જનતાની સેવામાં બસનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક માટે ‘બહુજન સમાજ પાર્ટી’ના ઉમેદવાર સંદીપભાઈ બોરસાએ ભરેલું ઉમેદવારીપત્રક

vartmanpravah

વાંસદાનાં કુંકણા સમાજ ભવનમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે 61 રક્‍ત બેગ થતા આદિવાસી સમાજનો બ્‍લડ ડોનેશન કેમ્‍પ સફળ રહ્યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment