(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: ગત રવિવારના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થયેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100માં એપિસોડનું વલસાડ જિલ્લાના અટકપારડી ખાતે પરેશભાઈની વાડીમાં 25 જેટલા ખેડૂતોએ લાઈવ પ્રસારણ સાંભળ્યું હતું. આ ખેડૂતોને કાર્યક્રમ બાદ બાગાયત ખાતા તથા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો કઈ રીતે લાભ લઈ શકાય તે બાબતનું માર્ગદર્શન નાયબ બાગાયત નિયામક એન. એન. પટેલ તથા બાગાયત અધિકારી રાજનભાઈ તથા વિસ્તરણ અધિકારી વિજયભાઈ અને માવજીભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું.