August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં ભંડારી સમાજ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04 : શ્રી ભંડારી સમાજ દાદરા નગર હવેલી, સેલવાસ દ્વારા તેજસ્‍વી તારલાઓના સન્‍માન સમારોહનું આયોજન સામરવરણી પંચાયત હોલ ખાતે આયોજીત કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત સમારંભના મુખ્‍ય અતિથી ભંડારી સમાજ દા.ન.હ પ્રમુખ ચેતનભાઈ પટેલે દિપ પ્રગટાવીને કરી હતી. ત્‍યારબાદ મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ભંડારી સમાજના પ્રમુખ શ્રી ચેતનભાઈ પટેલે જ્ઞાતિજન મહેમાનો માટે સ્‍વાગત પ્રવચન આપ્‍યું હતું. બાદમા ઉપસ્‍થિત મહાનુભાવોએ તેજસ્‍વી તારલાઓને શિલ્‍ડ અને પ્રોત્‍સાહિત ઇનામ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે સમાજના જ્ઞાતિજનોએ શ્રી ભંડારી સમાજ દા.ન.હ.ને સવા લાખથી વધુનું દાન પણ કર્યું હતું. આ અવસરે સમાજના પ્રમુખ, મહિલાપ્રમુખ,પાલિકા સભ્‍યો, સમાજના અગ્રણીઓ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું દરમિયાન સંચાલક શ્રીમતી ધારા દિપકભાઈ જાદવ, સલાહકાર શ્રી દિપકભાઈ જી.પટેલે કર્યું હતું. અંતમાં મંડળના મંત્રી શ્રી નેહલ પટેલે આભારવિધી કરી રાષ્‍ટ્ર ગીતનું ગાન કરી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.

Related posts

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

vartmanpravah

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

સરપંચોનાં અલ્‍ટીમેટમ બાદ આરએન્‍ડબીએ વલસાડ-ખેરગામ રોડનું કામ કરવાં વન વિભાગ પાસે માંગેલી કામચલાઉ મંજૂરી

vartmanpravah

રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ એલિમેન્‍ટરીની પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના તમામ વિદ્યાર્થી એ ગ્રેડસાથે પાસ

vartmanpravah

સૈલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રવાદી સંગઠન દ્વારા 16 અને 17 સપ્‍ટેમ્‍બરે ગંગા આરતી કાર્યક્રમ યોજાશે

vartmanpravah

20મી નવેમ્‍બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે દાનહ-દમણ-દીવમાં સરકારી/ગેર સરકારી, ખાનગી કંપની, સંસ્‍થા, વિવિધ એકમો/પ્રતિષ્ઠાનોમાં કાર્યરત મહારાષ્ટ્રના મતદારોને રજા આપવા સંઘપ્રદેશ ચૂંટણી વિભાગનો આદેશ

vartmanpravah

Leave a Comment