Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના આદિજાતિ યુવક-યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.૧૫: ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત આવેલ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી વલસાડ દ્વારા જિલ્લાના આદિજાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓને વ્યક્તિત્વ વિકાસ નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, પંચાયતી માળખાનો ખ્યાલ તેમજ યુવક-યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા માટે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન મળી રહે તે માટે વલસાડ જિલ્લામાં તાલુકા કક્ષાએ આવી તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આથી વલસાડ જિલ્લાના આદિજાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ કે જેઓ આ તાલીમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ૧૦૬, જૂની બી.એસ.એન.એલ કચેરી, હાલર રોડ, વલસાડ ખાતેથી આ શિબિરના રજિસ્ટ્રેશન માટે કોર્મ મેળવીને તારીખ ૨૫-૦૫-૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન કચેરીમાં જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે સ્થાનિક જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ૧૦૬, જૂની બી.એસ.એન.એલ.કચેરી, હાલર રોડ,વલસાડ જિ.વલસાડ ખાતે અથવા કચેરી સંપર્ક નંબર ૦૨૬૩૨-૨૪૮૦૮૩ નો સંપર્ક કરવાનો રહેશે. આ શિબિરની તારીખની જાણ અરજીઓ મળ્યા પછીથી કરવામાં આવશે.

Related posts

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત‘ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ વલસાડ દ્વારા આર્થિક સહાય તથા ફ્રી મેડિકલ કેમ્‍પનું થયેલું આયોજન

vartmanpravah

જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણ ન.પા.એ રખડતા ઢોરોને પકડવા હાથ ધરેલા અભિયાનમાં 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે મોકલાયા

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

Leave a Comment