દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવવા માટે આપણાં આસપાસની ખાલી પડેલ જગ્યાઓમાં વૃક્ષોનું વાવેતર કરવા જિ.પં. અધ્યક્ષ જાગૃતિબેન પટેલે કરેલી ટકોર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણ જિલ્લાપંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલના નેતૃત્વમાં આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના ઉપલક્ષમાં રીંગણવાડા સરકારી પ્રાથમિક વિદ્યાલયના પરિસરમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે, આપણે આસપાસની ખાલી જમીનો ઉપર પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જેથી દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવી શકાય.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી સદાનંદ મિટના પણ ઉપસ્થિત રહ્યા હતા.