February 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવવા માટે આપણાં આસપાસની ખાલી પડેલ જગ્‍યાઓમાં વૃક્ષોનું વાવેતર કરવા જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કરેલી ટકોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણ જિલ્લાપંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના ઉપલક્ષમાં રીંગણવાડા સરકારી પ્રાથમિક વિદ્યાલયના પરિસરમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે જણાવ્‍યું હતું કે, આપણે આસપાસની ખાલી જમીનો ઉપર પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જેથી દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવી શકાય.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી સદાનંદ મિટના પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

દાનહના વાસોણામાં ડી.જે.ના સામાન ચોરીના ગુનામાં બે આરોપીની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment