June 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવવા માટે આપણાં આસપાસની ખાલી પડેલ જગ્‍યાઓમાં વૃક્ષોનું વાવેતર કરવા જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કરેલી ટકોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણ જિલ્લાપંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના ઉપલક્ષમાં રીંગણવાડા સરકારી પ્રાથમિક વિદ્યાલયના પરિસરમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે જણાવ્‍યું હતું કે, આપણે આસપાસની ખાલી જમીનો ઉપર પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જેથી દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવી શકાય.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી સદાનંદ મિટના પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી ઓવરબ્રિજ પાસે વરના ગાડીનું શીર્ષાસન: ચાલાક અને ગાડીમાં સવાર અન્‍યનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

વાપી કોચરવા ગામના સરપંચે મહિલાઓને ગાળો આપતા સરપંચ વિરૂધ્‍ધ મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

vartmanpravah

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

રાનવેરી કલ્લા ગામે અગાઉની બોલાચાલીની અદાવતે બેને માર મરાતા બંને ઈજાગ્રસ્‍તોને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા: પોલીસે બનાવમાં ચાર જેટલા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

Leave a Comment